શોધખોળ કરો

World Press Freedom Day 2024: વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે કેમ અને ક્યારે ઉજવવામાં આવે છે?

World Press Freedom Day 2024: મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. આ પરથી મીડિયાના મહત્વનો અંદાજ લગાવી શકાય છે

World Press Freedom Day 2024: મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે. આ પરથી મીડિયાના મહત્વનો અંદાજ લગાવી શકાય છે. જોકે પત્રકારત્વના કામમાં ઘણું જોખમ હોય છે. વિશ્વભરમાં દરરોજ પત્રકારો પર જીવલેણ હુમલાઓ થાય છે. મીડિયાના મહત્વ અને જોખમોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે દર વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવે છે. જેનો હેતુ અખબારી સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની ઉજવણી, પ્રેસ સ્વતંત્રતાનું મૂલ્યાંકન, મીડિયાને હુમલાઓથી બચાવવા અને ફરજ દરમિયાન જીવ ગુમાવનારા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવાનો છે. આ લોકશાહીને પ્રોત્સાહન આપવા અને માનવ અધિકારોને આગળ વધારવામાં પ્રેસનું મહત્વ દર્શાવે છે. ચાલો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ બાબતો જાણીએ.

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસનું મહત્વ

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે પ્રેસની સ્વતંત્રતાના સન્માન અને પુરસ્કાર માટે કરવામાં આવે છે. તેને 'વર્લ્ડ પ્રેસ ડે' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે 1997થી યુનેસ્કો દ્વારા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર 'ગિલર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ' એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ અંતર્ગત એવોર્ડ મેળવનારને પ્રશસ્તિ પત્ર અને 25 હજાર યુએસ ડોલર આપવામાં આવે છે. આ સન્માન એવા પત્રકાર કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતા માટે નોંધપાત્ર કાર્ય કર્યું હોય.

વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ: ઇતિહાસ
1991માં આફ્રિકન પત્રકારોએ પ્રથમ વખત પ્રેસની સ્વતંત્રતા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.  3 મેના રોજ આ પત્રકારોએ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેને વિન્ડહોક નામથી ઓળખવામાં આવે છે. બે વર્ષ પછી 1993 માં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું. ત્યારથી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ દર વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવે છે.

વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2024: થીમ
આ વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની થીમ છે “અ પ્રેસ ફોર ધ પ્લેનેટઃ જર્નાલિઝમ ઇન ધ ફેસ ઓફ ધ એન્વાયર્નમેન્ટલ ક્રાઈસીસ”. આજે સમગ્ર વિશ્વ બદલાતી આબોહવા અને જૈવવિવિધતા સંકટથી પ્રભાવિત છે. જેઓ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની વાર્તાઓ અન્ય લોકો સુધી પહોંચાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પત્રકારો આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે આગળ આવે છે અને આપણી પૃથ્વી અને તેના સારા ભવિષ્ય માટે લડે છે. તેથી આ દિવસ તેમના કામના સન્માન માટે ઉજવવામાં આવે છે.

ગિલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ શું છે?

ગિલેર્મો કેનો વાસ્તવમાં એક પ્રખ્યાત ઇટાલિયન પત્રકાર, લેખક અને સમાચાર સંપાદક હતા, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન મીડિયા સ્વતંત્રતા અને પત્રકારત્વના મહત્વને પ્રકાશિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ પર સત્યને ઉજાગર કરવાનું ખૂબ જ હિંમતભર્યું અને જોખમ ભરેલું કામ કર્યું. તેમના દ્વારા સંચાલિત જિઓર્નાલે નુઓવો દ્વારા તેમણે પ્રેસના લોકોને અવાજ આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું. તેમની પ્રેરણા અને યોગદાનને માન આપવા માટે તેમને 'ગિલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો, જે વિશ્વભરમાં મીડિયા સ્વતંત્રતા અને પત્રકારત્વને પ્રોત્સાહન આપવા માટે તેમના અમૂલ્ય યોગદાન માટે ઓળખાય છે.

ભારતીય પત્રકારત્વ જોખમો અને પડકારોથી ભરેલું છે

ભારતમાં પત્રકારોને કામ કરતી વખતે ઘણા શારીરિક જોખમો અને સુરક્ષાની ચિંતાઓનો સામનો કરવો પડે છે. સંવેદનશીલ મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરવું, ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવો અને સત્તામાં રહેલા લોકો પર નિર્ભયતાથી પ્રશ્નો પૂછવાથી તેમને ધમકીઓ, હિંસા અથવા ઉત્પીડનનું જોખમ રહેલું છે. નિર્ભય પત્રકારત્વ કરનારાઓને સમયાંતરે ધમકીઓ મળતી રહે છે. આ ધમકીઓ વધુ રાજકીય રીતે પ્રેરિત છે અને રેતી અને જમીન માફિયાઓ તરફથી આવે છે. પત્રકારોને કેટલીકવાર તેમના રિપોર્ટિંગને ચોક્કસ કાર્યસૂચિ સાથે સંરેખિત કરવા દબાણનો સામનો કરવો પડે છે, જે વાજબી અને ઉદ્દેશ્ય કવરેજ પ્રદાન કરવાની તેમની ક્ષમતાને અસર કરે છે. પત્રકારત્વની અખંડિતતા જાળવવા અને જીવંત લોકશાહી જાળવવા માટે પત્રકારોની સલામતીની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget