શોધખોળ કરો
Mahashivratri 2025: મહાકુંભમાં મહાશિવરાત્રી પર શું વિશેષ છે, આ દિવસે શું કરવું જોઇએ
Mahashivratri 2025: મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જાણો આ વર્ષની મહાશિવરાત્રીમાં શું ખાસ છે, શિવપૂજાનું ફળ તમને કેવી રીતે મળશે.

મહાશિવરાત્રી
1/6

Mahashivratri 2025: મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. જાણો આ વર્ષની મહાશિવરાત્રીમાં શું ખાસ છે, શિવપૂજાનું ફળ તમને કેવી રીતે મળશે. આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રીના દિવસે પ્રયાગરાજમાં મહાકુંભના અમૃત સ્નાનનો એક ખાસ સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં શિવરાત્રી પર્વનું મહત્વ અનેકગણું વધી ગયું છે.
2/6

મહાશિવરાત્રી પર બ્રહ્મ મુહૂર્તમાં તીર્થસ્થળ પર નદીમાં સ્નાન કરો. જો તમે ઘરે હોવ તો પાણીમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરો. શિવરાત્રીનું વ્રત રાખવાનો સંકલ્પ કરો.
3/6

માટીમાંથી શિવલિંગ બનાવો અને ગંગાજળથી જળાભિષેક કરો. પંચામૃત અર્પણ કરો.
4/6

નદીમાં પૂર્વજોના નામે તર્પણ કરો, કેસર મિશ્રિત ખીર અર્પણ કરો. રાત્રે ઘીનો દીવો પ્રગટાવો અને ચાર પ્રહરની પૂજા કરો
5/6

ગરીબો અને જરૂરિયાતમંદોને ચોખા, દૂધ, દહીં, ઘી, ખાંડ વગેરેનું દાન કરો. રાત્રી જાગરણ કરો અને ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्નો જાપ કરો.
6/6

મહાશિવરાત્રી પર અમૃત સ્નાનનો શુભ સમય સવારે 5:09થી 5:59 સુધીનો છે. પ્રદોષ કાળ દરમિયાન શિવપૂજા માટેનો શ્રેષ્ઠ સમય સાંજે 6:19 થી 9:26 વાગ્યા સુધીનો રહેશે.
Published at : 06 Feb 2025 03:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
ક્રિકેટ
ટેલીવિઝન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
