શોધખોળ કરો
જીવનની જુદી-જુદી સમસ્યા માટે આ અલગ પદાર્થ સોમવારે મહાદેવને અર્પણ કરવાથી, કષ્ટોથી મળે છે મુક્તિ
શિવ પૂજા
1/9

સોમવારનો દિવસ ભોળાનાથને સમર્પિત છે. આ દિવસે સાચા દિલથી ભગવાનની પૂજા કરવાથી સઘળા કષ્ટો દૂર થાય છે. શિવપુરાણ અનુસાર શિવના આશિષ મેળવવા માટે સોમવારે મહાદેવને આ ચીજો કરો અર્પણ
2/9

મહાદેવને ઓમ નમ: શિવાયના જાપ સાથે જળ અર્પિત કરવાથી મન શાંત થાય છે, ચિત શાંત કરવાનૌ સૌથી સરળ ઉપાય છે.
3/9

માન્યતા અનુસાર શિવજીને દેશી ઘી અર્પિત કરવાથી વ્યક્તિ બળવાન બને છે.
4/9

ઇત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને મનની શુદ્ધિ થાય છે. મન શાંત થાય છે. તણાવ દૂર થાય છે.
5/9

શિવલિંગ પર ખાંડ અર્પિત કરવાથી વૈભવ અને કિર્તીની કમી નથી રહેતી.
6/9

મહાદેવને દૂધ ચઢાવવાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે અને મહાદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે.
7/9

મહાદેવને સોમવારે ચંદન અર્પણ કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થવાની સાથે આકર્ષક રૂપ પ્રદાન થાય છે. વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે.
8/9

મહાદેવને દહીં અર્પણ કરવાથી વ્યક્તિ પરિવકવ બને છે અને જીવનમાં સ્થિરતા આવે છે.
9/9

શાસ્ત્ર અનુસાર શિવજીના લિંગ પર લાલ તિલક કરવાથી જીવનમાં સૌમ્યતા આવે છે. માંગલિક દોષ પણ આ ઉપાયથી દૂર થાય છે.
Published at : 21 Feb 2022 11:40 AM (IST)
આગળ જુઓ





















