શોધખોળ કરો
Pankaj Udhas Death: પંકજ ઉધાસનું આ ગીત સાંભળીને શો મેન રાજ કપૂર પણ રડી પડ્યા હતા
Pankaj Udhas Died: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ 72 વર્ષના હતા. તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.
![Pankaj Udhas Died: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ 72 વર્ષના હતા. તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/182194ab224990d214a44d20ed476773170894594568576_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંકજ ઉધાસ બાળપણમાં જ સંગીત સાથે જોડાયા હતા. તેમણે 7 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું.
1/7
![પહેલીવાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું. આ એ સમય હતો જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે 'એ વતન કે લોગોં' ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/08c97336b6c092538ee62a673be49d8bdd920.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પહેલીવાર પંકજ ઉધાસે તેમના ભાઈ સાથે એક કાર્યક્રમમાં ગીત ગાયું હતું. આ એ સમય હતો જ્યારે ભારત-ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. તેણે 'એ વતન કે લોગોં' ગીત ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ તેને ઈનામ તરીકે 51 રૂપિયા આપવામાં આવ્યા હતા.
2/7
![વર્ષ 1985માં ભારતમાં એક જાદુ આવ્યો જેનું નામ સીડી (કોમ્પેક્ટ ડિસ્ક) હતું. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ 'શગુફ્તા' નામનું આ આલ્બમ લોન્ચ કર્યું જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/c9acae34af4e20c6a13593a5dbd05ca83c62c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ષ 1985માં ભારતમાં એક જાદુ આવ્યો જેનું નામ સીડી (કોમ્પેક્ટ ડિસ્ક) હતું. પંકજ ઉધાસની ગઝલો સાથે ભારતમાં પ્રથમ સીડી આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. 1987માં મ્યુઝિક ઈન્ડિયાએ 'શગુફ્તા' નામનું આ આલ્બમ લોન્ચ કર્યું જેમાં પંકજ ઉધાસને સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.
3/7
![જોકે પંકજ ઉધાસે અનૂપ જલોટા અને જગજીત સિંહ જેવા ઘણા ધાર્મિક ગીતો ગાયા નથી પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે તે દરેક શો શરૂ કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પછી જ તે સ્ટેજ પર જાય છે અને ગાવાનું શરૂ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/6d001793479df99b40cb96ea472821855c7ec.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે પંકજ ઉધાસે અનૂપ જલોટા અને જગજીત સિંહ જેવા ઘણા ધાર્મિક ગીતો ગાયા નથી પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે તે દરેક શો શરૂ કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પછી જ તે સ્ટેજ પર જાય છે અને ગાવાનું શરૂ કરે છે.
4/7
![પંકજ ઉધાસના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર પણ પંકજની ગાયકીના દિવાના હતા. આ એ સમય હતો જ્યારે 'ચિઠ્ઠી આયી હૈ'નું રેકોર્ડિંગ થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/d35774e3d9d7f8c078db903ce48cbe33e064d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંકજ ઉધાસના સમગ્ર વિશ્વમાં ચાહકો છે. પીઢ અભિનેતા અને શોમેન તરીકે પ્રખ્યાત થયેલા નિર્માતા અને નિર્દેશક રાજ કપૂર પણ પંકજની ગાયકીના દિવાના હતા. આ એ સમય હતો જ્યારે 'ચિઠ્ઠી આયી હૈ'નું રેકોર્ડિંગ થયું હતું.
5/7
![ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જે તેના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે બોલાવ્યા અને ગીત વગાડ્યું. આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે આ ગીત ખૂબ જ હિટ થશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/a8c376119882e6051347c7b0bfab4687578c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મના નિર્માતા રાજેન્દ્ર કુમાર હતા, જે તેના એક હીરો કુમાર ગૌરવના પિતા હતા. એક દિવસ રાજેન્દ્ર કુમારે રાજ કપૂરને ડિનર માટે બોલાવ્યા અને ગીત વગાડ્યું. આ ગઝલ સાંભળ્યા પછી રાજ કપૂરની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું કે આ ગીત ખૂબ જ હિટ થશે અને રાજ કપૂરની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ હતી.
6/7
![પંકજે 11 ફેબ્રુઆરી 1982ના રોજ ફરીદા સાથે લગ્ન કર્યા હતા. બંને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા. પંકજને ફરીદા પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. તે સમયે તે ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/be0da304a61407c00ced168850d8d043072c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પંકજે 11 ફેબ્રુઆરી 1982ના રોજ ફરીદા સાથે લગ્ન કર્યા હતા. બંને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં મળ્યા હતા. પંકજને ફરીદા પહેલી નજરમાં જ ગમી ગઈ હતી. તે સમયે તે ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા અને ફરીદા એર હોસ્ટેસ હતી.
7/7
![સંગીત ક્ષેત્રે આપેલા યોગદાનને લઈ પંકજ ઉધાસને પદ્મશ્રી પણ નવાજવામાં આવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/604bc9c2ec669adb10d69017a46e0ddcaff94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંગીત ક્ષેત્રે આપેલા યોગદાનને લઈ પંકજ ઉધાસને પદ્મશ્રી પણ નવાજવામાં આવ્યા હતા.
Published at : 26 Feb 2024 04:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)