શોધખોળ કરો
અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, અન્ય ફાયદા જાણી આજે જ ખાવા લાગશો
અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, અન્ય ફાયદા જાણી આજે જ ખાવા લાગશો
તસવીર સોશિયલ મીડિયા
1/7

અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અખરોટથી હૃદય સ્વસ્થ રહે છે,ટેન્શન દૂર કરવા અને સારી ઊંઘ મેળવવા માટે તમારે અખરોટ ખાવા જ જોઈએ. અખરોટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.
2/7

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અખરોટ ખાવાથી મગજ તેજ અને સક્રિય બને છે.
3/7

અખરોટ એ આયર્ન, ફોસ્ફરસ, કોપર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમ જેવા પોષક તત્વોનો ભંડાર છે. મોટાભાગના લોકો અખરોટને પલાળ્યા વગર ખાય છે.
4/7

દિવસમાં 2થી3 અખરોટ ખાવા જોઇએ, જો કે તેનાથી વધુ અખરોટ ખાવાથી નુકસાન પણ થઇ શકે છે.
5/7

શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યાં વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યાં પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા ફાયદા થાય છે.
6/7

અખરોટના સેવનથી મગજની કાર્યક્ષમતા વધે છે, હાર્ટના હેલ્થ માટે પણ અખરોટ ફાયદાકારક છે. અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ હોય છે. જે દિલની બીમારીને દૂર કરે છે.
7/7

અખરોટના સેવનથી તણાવ ઓછો થાય છે અને સારી ઊંઘ આવે છે.માઇન્ડ શાંત રહે છે. અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે તેમજ ગૂડ કેલોસ્ટ્રોલની માત્રા વધે છે.
Published at : 31 Mar 2024 08:49 PM (IST)
આગળ જુઓ
Advertisement





















