શોધખોળ કરો
Space Garbage:અંતરિક્ષનો કચરો કેટલો ખતરનાક, જાણો જો હટાવવવામાં ન આવ્યો તો શું થશે નુકસાન
વિશ્વભરમાં સ્વચ્છતા માટે જાણીતું જાપાન હવે અવકાશને સાફ કરવાના મિશન પર નીકળ્યું છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

વિશ્વભરમાં સ્વચ્છતા માટે જાણીતું જાપાન હવે અવકાશને સાફ કરવાના મિશન પર નીકળ્યું છે.
2/6

વાસ્તવમાં જાપાને અવકાશયાન લોન્ચ કર્યું છે. આ અવકાશયાનનો ઉદ્દેશ્ય પૃથ્વીની આસપાસથી અવકાશમાં માનવ દ્વારા બનાવેલા કાટમાળને દૂર કરવાનો છે.
3/6

આ કાટમાળ કોઈપણ અવકાશ મિશન દરમિયાન ભેગો થાય છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે જો આ કાટમાળને હટાવવામાં ન આવે તો શું થઈ શકે છે. જો ના હોય તો ચાલો આજે જાણીએ.
4/6

વાસ્તવમાં, યુરોપિયન સ્પેસ એજન્સીનો અંદાજ છે કે, પૃથ્વીની ભ્રમણકક્ષામાં લગભગ 10 લાખ એવા ટુકડાઓ છે જે એક સેન્ટીમીટર કરતા પણ મોટા છે.
5/6

કાટમાળના આ ટુકડાઓ કોઈપણ અવકાશયાનને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં જો આ કાટમાળ દૂર કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થઈ શકે છે. જાપાનના આ અનોખા અવકાશયાનને એસ્ટ્રોસ્કેલ નામ આપવામાં આવ્યું છે. જે સોમવારે ન્યુઝીલેન્ડથી લોન્ચ કરવામાં આવ્યું છે.
6/6

આ જાપાની અવકાશયાન બે તબક્કામાં કામ કરશે. પહેલા તે કાટમાળના ફોટા અને ડેટા એકત્રિત કરશે, જેથી તે કાટમાળનો ટ્રેન્ડ સમજી શકાય. જે બાદ તે કાટમાળને પકડવાનું કામ કરશે.
Published at : 21 Feb 2024 02:26 PM (IST)
આગળ જુઓ
Advertisement





















