શોધખોળ કરો
વેઇટિંગ ટિકિટવાળા મુસાફરો સાવધાન! આજથી બદલાયા રેલ્વેના આ નિયમો, જાણો નહીં તો થશે દંડ
સ્લીપર અને એસી કોચમાં વેઇટિંગ ટિકિટ હવે નહીં ચાલે, નિયમોનું ઉલ્લંઘન કરનારને ભરવો પડશે મોટો દંડ.
ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો મુસાફરો માટે હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે. ટ્રેન મુસાફરી ભારતમાં સૌથી લોકપ્રિય અને સુવિધાજનક પરિવહન માધ્યમ છે. જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, ખાસ કરીને રિઝર્વ કોચમાં, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રેલ્વેએ વેઇટિંગ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે નિયમોમાં એક મોટો ફેરફાર કર્યો છે, જે આજથી જ અમલમાં આવ્યો છે.
1/6

ભારતીય રેલ્વેમાં મુખ્યત્વે બે પ્રકારના કોચ હોય છે - આરક્ષિત અને અનરિઝર્વ્ડ. મોટાભાગના મુસાફરો આરામદાયક અને સુવિધાજનક મુસાફરી માટે આરક્ષિત કોચ પસંદ કરે છે. જો કે, ઘણી વખત ટિકિટ બુક કરાવતી વખતે સીટ કન્ફર્મ થતી નથી અને ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં જતી રહે છે.
2/6

અગાઉ, ઘણા મુસાફરો ઓફલાઇન ટિકિટ બુક કરાવતા અને જો ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહેતી તો પણ તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, કારણ કે ઓફલાઇન ટિકિટો રદ થતી નહોતી. પરંતુ હવે ભારતીય રેલ્વેએ આ નિયમોમાં મોટો બદલાવ કર્યો છે.
Published at : 02 Mar 2025 07:20 PM (IST)
આગળ જુઓ





















