શોધખોળ કરો
રેલવે યુઝર્સ માટે કામની વાતઃ ૧ ઓક્ટોબરથી ટિકિટ બુકિંગના નિયમો બદલાશે, પ્રથમ 15 મિનિટમાં ટિકિટ બુક કરવાની....
ભારતીય રેલવે (Indian Railways) 1 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગના નિયમોમાં એક મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવા જઈ રહ્યું છે.
આ ફેરફાર ખાસ કરીને IRCTC એપ અને વેબસાઇટ દ્વારા ઓનલાઈન ટિકિટ બુક કરનારા મુસાફરોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યો છે.
1/5

નવા નિયમ હેઠળ, જે મુસાફરોનું IRCTC એકાઉન્ટ આધાર સાથે ચકાસાયેલ (Aadhaar Verified) હશે, તેઓ જ સામાન્ય રિઝર્વેશન ખુલ્યાના પ્રથમ 15 મિનિટમાં ટિકિટ બુક કરાવી શકશે. આ પગલું ટિકિટ એજન્ટો દ્વારા થતી છેતરપિંડી અને બલ્ક બુકિંગને રોકવા માટે લેવામાં આવ્યું છે, જેનાથી સામાન્ય મુસાફરો માટે ટિકિટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે. આ નિયમ તત્કાલ ટિકિટ બુકિંગ જેટલું જ સરળતા લાવશે.
2/5

દેશમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે, જેના માટે રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને સમયાંતરે નિયમોમાં ફેરફાર થતા રહે છે. 1 ઓક્ટોબરથી લાગુ થનાર આ નવો નિયમ ઓનલાઈન ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવા માટેનું એક મોટું પગલું છે.
Published at : 28 Sep 2025 07:09 PM (IST)
આગળ જુઓ




















