શોધખોળ કરો
કુબેરનો ખજાનો છે આ સરાકરી યોજનાઓ, આ સ્કીમમાં મળે છે ટેક્સ ફ્રી રિટર્ન!
શેરબજારની ચિંતા છોડો, પોસ્ટ ઓફિસની આ સ્કીમ્સમાં કરો રોકાણ અને મેળવો નિશ્ચિત વળતર.
શેરબજારમાં જોવા મળતી અસ્થિરતા અને વૈશ્વિક સ્તરે પ્રવર્તી રહેલા તણાવને કારણે રોકાણકારોમાં પોતાના પૈસાને લઈને ચિંતા વધી છે. જો તમે પણ તમારા રોકાણને સુરક્ષિત રાખવા માંગો છો અને સાથે જ ટેક્સ ફ્રી વળતર મેળવવા ઈચ્છો છો, તો તમારા માટે સરકાર દ્વારા કેટલીક ખાસ યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી ત્રણ યોજનાઓ વિશે જણાવીશું, જેમાં રોકાણ કરવાથી તમને ટેક્સ ફ્રી વ્યાજ મળી શકે છે.
1/5

બજારમાં એવી ઘણી રોકાણ યોજનાઓ ઉપલબ્ધ છે, જે ટૂંકા સમયમાં નિશ્ચિત વળતર આપવાનો દાવો કરે છે. જો કે, આ યોજનાઓમાં જોખમ પણ એટલું જ વધારે હોય છે. બજારમાં આવતા કોઈપણ ઉતાર-ચઢાવની સીધી અસર આ રોકાણો પર પડે છે.
2/5

પરંતુ સરકાર દ્વારા ચલાવવામાં આવતી કેટલીક બચત યોજનાઓ રોકાણકારો માટે સુરક્ષિત વિકલ્પ પૂરો પાડે છે, જેમાં નિશ્ચિત વ્યાજની સાથે જોખમ પણ ઓછું હોય છે.
Published at : 13 Apr 2025 07:10 PM (IST)
આગળ જુઓ




















