શોધખોળ કરો
Home Loan: શું ઘટી જશે તમારી લોનનો ઈએમઆઈ અને FD નું વ્યાજ ? જાણો RBIના ફેંસલાની શું થશે અસર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં રેપો રેટ 6.5 ટકા પર યથાવત છે.
ફાઈલ તસવીર
1/7

ચાલુ નાણાકીય વર્ષમાં આ બીજી વખત છે જ્યારે આરબીઆઈએ રેપો રેટ સ્થિર રાખ્યો છે. સ્થિર ફુગાવાને ધ્યાનમાં રાખીને અને અનુમાનના આધારે કેન્દ્રીય બેંક દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. 8મી જૂને લીધેલા આ નિર્ણયોને કારણે લોનના વ્યાજ દર અને FD ડિપોઝિટ પર અસર થઈ શકે છે.
2/7

લોન પર અસરઃ જો તમે બેંકમાંથી કોઈપણ પ્રકારની લોન લીધી હોય તો તેમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલ ફ્લોટિંગ-રેટ લોન ધરાવતા ગ્રાહકો માટે વ્યાજ દરમાં કોઈ વધારો થશે નહીં. ETના રિપોર્ટમાં નિષ્ણાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે MCLR અને અન્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલ ફ્લોટિંગ રેટ લોનમાં ફેરફાર જોવા મળી શકે છે.
Published at : 09 Jun 2023 11:47 AM (IST)
આગળ જુઓ





















