શોધખોળ કરો
Rain Alert: સાત દિવસ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરશે, જાણી લો લેટેસ્ટ અપડેટ
નવરાત્રિ શરુ થાય ત્યારથી જ વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી
1/6

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગાહી સાત દિવસ સુધી મેઘરાજા જમાવટ કરશે. નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ મુજબ ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે.
2/6

જો કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે અન્ય તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
3/6

આગામી ચાર દિવસ પવનની ગતિ પણ 30થી 40 કિલોમીટર પ્રતિકલાકની રહેશે. આજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
4/6

આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
5/6

જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય ગુજરાતના મહીસાગર, આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
6/6

જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સામાન્ય કરતા 24 ટકા વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
Published at : 19 Sep 2025 06:38 PM (IST)
આગળ જુઓ
Advertisement





















