શોધખોળ કરો
કોરોનાની મહામારીમાં લોકો કરી રહ્યાં છે આ પ્રકારની ભૂલ, તબીબ ગણાવી રહયાં છે તેને ગંભીર, થઇ શકે છે આ પ્રકારનું નુકસાન

પ્રતીકાત્મક તસવીર
1/6

કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. સંક્રમણ વધવાની સાથે નવો સ્ટ્રેન જીવલેણ પણ સાબિત થઇ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાના દર્દીઓ એક ભૂલ મોટા પ્રમાણમાં કરી રહ્યાં છે. જે ભૂલ નુકસાનકારક સાબિત થઇ શકે છે
2/6

કોરોના વાયરસની બીજી લહેરમાં મોટાભાગના લોકો સંક્રમણથી બચવા માટે પેનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ દવા લઇ રહ્યાં છે. જો કે ડોક્ટરની સલાહ વિના આ રીતે લીધેલી દવા નુકસાનકારક સાબિત થઇ શકે છે.
3/6

એકસ્પર્ટનું માનીએ તો કોરોનાની હજુ સુધી કોઇ પ્રોપર દવા નથી શોધાઇ. ડોક્ટર હાલ જે ઇલાજ કરે છે. તે લક્ષણોને રોકવા અને સંક્રમણને કન્ટ્રોલ કરવા માટે કરી રહ્યાં છે.
4/6

યાદ રાખો કે કોઇપણ પેઇન કિલર કોરોનાની રિકવરીની અવધિની ઓછી નથી કરી શકતી અને તે કોરોના સંક્રમણથી પણ નથી બચાવતી. તેથી કોઇપણ એલોપેથી દવા ડોક્ટરના દિશા નિર્દેશ અનુસાર જ લેવી જોઇએ.
5/6

પેરાસિટોમોલ, ઇબ્રુફેન, કોમ્બિફ્લેમનો ઓવરડોઝ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એન્ટીબાયોટિક્સ દવા આડેધડ લેવાનો કોઇ અર્થ નથી. જે કોરોના વાયરસ સામે કારગર પણ નથી
6/6

કોરોનાના સંક્રમણથી બચવા માટે આડેધડ એન્ટીબાયોટિક્સ કે પેઇનકિલર લેવાથી કોરોનાનું સંક્રમણ રોકી શકાતું નથી. તબીબની સલાહ વિના આ પ્રકારની દવા લાંબા ગાળા સુધી લેવાથી અને વધુ પ્રમાણમાં લેવાથી કિડની, લિવરને નુકશાન થઇ શકે છે.
Published at : 21 Apr 2021 01:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
