શોધખોળ કરો
Utility: ઘરમાં દાખલ થતાં જ જતું રહે છે ફોનનું નેટવર્ક? આ 5 રીતથી કાયમ માટે દૂર થઈ જશે પરેશાની
ફોનમાં નેટવર્ક જતું રહેવાનું કારણે નેટવર્ક ટાવરમાં અંતર, જાડી દીવાલો, ઈલેક્ટ્રનિક ડિવાઇસ સામેલ હોઈ શકે છે. નેટવર્ક સમસ્યાના સમાધાન માટે મેન્યુઅલ નેટવર્ક પસંદ કરી શકો છો.

યુઝર્સ સાથે ઘણી વખત એવું બનતું જોવા મળ્યું છે કે તેઓ ઘર, ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ પ્રવેશતાની સાથે જ તેમના ફોન પરથી નેટવર્ક ગાયબ થઈ જાય છે. જેના કારણે ઘણી વખત યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
1/7

ફોન નેટવર્ક જતું રહેવાના કારણે, તમે ન તો કોઈને કૉલ કરી શકો છો, ન તો મેસેજ મોકલી શકો છો અને ન તો ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે ફોનમાંથી નેટવર્ક કેવી રીતે ગાયબ થઈ જાય છે અને તેને ઠીક કરવા શું કરવું જોઈએ.
2/7

જો તમારા ફોનમાંથી નેટવર્ક જતું રહે છે અથવા કોઈ સિગ્નલ નથી તો તેની પાછળનું કારણ એ હોઈ શકે છે કે તમારું ઘર નેટવર્ક ટાવરથી દૂર છે, જેના કારણે ફોન પર સિગ્નલ નથી આવી રહ્યું. આ સિવાય જો ઘર કે ઓફિસમાં કોંક્રીટ, ધાતુ કે જાડી ઈંટોથી બનેલી દીવાલો હોય તો તેના કારણે સિગ્નલ પણ નબળા પડી જાય છે. તે જ સમયે, કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ નેટવર્કમાં દખલ કરી શકે છે.
3/7

આ રીતે તમે નેટવર્ક સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છોઃ જો તમે તમારા ફોનમાં નેટવર્ક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો પછી સેટિંગ્સમાં જાઓ અને મેન્યુઅલી નેટવર્ક પસંદ કરો. આ સિવાય ફોનમાં એરપ્લેન મોડને ઓન-ઓફ કરો.
4/7

આ સિવાય જો તમને નેટવર્કના કારણે વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમે તમારું સિમ કાર્ડ બદલી શકો છો. એવું પણ શક્ય છે કે તમારું સિમ ખરાબ થઈ ગયું હોય.
5/7

તમે નેટવર્કને મજબૂત કરવા માટે સિગ્નલ બૂસ્ટરનો પણ ઉપયોગ કરી શકો છો. સિગ્નલ બૂસ્ટર એ એક પ્રકારનું ઉપકરણ છે જેની મદદથી સિગ્નલને બૂસ્ટ કરી શકાય છે. તમે આ ઉપકરણને ઑફલાઇન અને ઑનલાઇન બંને ખરીદી શકો છો.
6/7

નેટવર્ક સમસ્યાઓ માટે, તમે તમારા નેટવર્ક ઓપરેટરનો સંપર્ક કરી શકો છો. ઓપરેટર તમને તમારા વિસ્તાર વિશે સાચી માહિતી આપી શકશે.
7/7

તમામ તસવીર સૌજન્યઃ Getty Images
Published at : 22 Jul 2024 04:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ખેતીવાડી
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
