શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલ પછી હવે તમારું મોબાઈલ રિચાર્જ પણ થઈ શકે છે મોંઘું! જાણો પાછળનું મોટું કારણ
ટેલિકોમ ટાવર્સ ચલાવવામાં વપરાતા ડીઝલ અને વીજળીના વધતા ખર્ચની સીધી અસર ટૂંક સમયમાં ગ્રાહકોના ખિસ્સા પર પડી શકે છે. 5G નેટવર્કના વિસ્તરણથી કંપનીઓના આર્થિક બોજમાં વધુ વધારો થયો છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવોએ પહેલાથી જ સામાન્ય માણસનું બજેટ ખોરવી નાખ્યું છે. 107 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચેલા પેટ્રોલના ભાવની અસર હવે માત્ર વાહનો પૂરતી સીમિત નથી રહી.
1/5

તાજેતરના અહેવાલો મુજબ, ઇંધણના આ વધતા ભાવોને કારણે ટૂંક સમયમાં જ તમારા મોબાઈલ રિચાર્જ પ્લાન પણ મોંઘા થઈ શકે છે. ટેલિકોમ કંપનીઓને ટાવર ચાલુ રાખવા માટે ડીઝલ અને વીજળી પાછળ જે જંગી ખર્ચ કરવો પડે છે, તેનો સીધો બોજો હવે ગ્રાહકો પર આવી શકે તેવી પૂરી શક્યતા છે.
2/5

તમને કદાચ નવાઈ લાગશે કે પેટ્રોલ-ડીઝલ અને મોબાઈલ રિચાર્જ વચ્ચે શું સંબંધ છે? તો વાત એમ છે કે, તમારા ફોનમાં 24 કલાક નેટવર્ક ચાલુ રહે તે માટે દેશભરમાં હજારો મોબાઈલ ટાવર્સ રાત-દિવસ ધમધમતા રહે છે. આ ટાવર્સને ચાલુ રાખવા માટે મુખ્યત્વે વીજળી અને ડીઝલનો ઉપયોગ થાય છે. એક અંદાજ મુજબ, મોબાઈલ ટાવરના કુલ મેન્ટેનન્સ અને ઓપરેટિંગ ખર્ચના લગભગ 40 ટકા રૂપિયા માત્ર ઇંધણ અને વીજળી પાછળ જ વપરાય છે. હવે જ્યારે પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે આ ટાવર્સ ચલાવવાનો ખર્ચ પણ આસમાને પહોંચશે.
Published at : 16 May 2026 07:33 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર





















