શોધખોળ કરો
ભીમા કોરેગાંવ મામલે તમામ 5 લોકો આગામી સુનાવણી સુધી નજરકેદ રહેશે - સુપ્રીમ કોર્ટ
1/3

સુધા ભારદ્વાજ નેશનલ લો યુનિવર્સિટીમાં એક ગેસ્ટ ફેકલ્ટી તરીકે ભણાવી રહ્યાં છે. જોકે પંજાબ હરિયાણા હાઇકોર્ટે ફરીદાબાદથી ઝડપાયેલા સામાજિક કાર્યકર્તા સુધા ભારદ્વાજના ટ્રાંઝિટ રિમાન્ડ પર ત્રણ દિવસનો સ્ટે લગાવી દીધો છે. જ્યારે આ મામલામાં દલિત એક્ટિવિસ્ટ ગૌતમ નવલખાને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી ગઇ છે. પરંતુ આ રાહત માત્ર એક દિવસ માટે જ છે. રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, માયા દર્નાલ તથા એક અન્ય વ્યક્તિએ સુધા ભારદ્વાજ તથા ગૌતમ નૌલખાની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.
2/3

આ મામલામાં અત્યાર સુધી પોલીસે હૈદરાબાદના કવિ અને વામપંથી બુદ્ધિજીવી વરવર રાવ, ફરિદાબાદથી સુધા ભારદ્વાજ અને દિલ્હીમાંથી ગૌતમ નવલખાની ધરપકડ કરી છે. જ્યારે થાણેથી અરૂણ ફરેરા અને ગોવાથી બર્નણ ગોન્સાલ્વિઝની ધરપકડ કરવામાં આવી છે.
Published at : 29 Aug 2018 06:30 PM (IST)
Tags :
Suprem CourtView More




















