શોધખોળ કરો
પાટીદાર નેતા હાર્દિક પટેલે લખી 'નમ્ર પ્રણામ' કવિતા, સોશિયલ મીડિયા ફેસબુક પર કરી પોસ્ટ
1/4

આ મેસેજમાં સૌથી મહત્ત્વૂપર્ણ વાત એ છે કે, લિખીતાંગમાં લખવામાં આવ્યું છે કે, 'મોટાથી થાકી ગયેલના નાના નાના કાર્યકર્તાઓ'. ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરતમાં પટેલ ઉદ્યોગપતિઓ દ્વારા ભાજપ અને ગુજરાત સરકારના આગેવાનો માટે અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ પટેલ ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ પાટીદારના કેટલાક લોકો રોષે ભરાયા છે.
2/4

શક્તિશાળી બીજેપી સરકાર સામે કૂદી પડ્યા સમાજ માટે, સમાજહિતને કાજે લડતા મંગલમય બલિદાન કર્યું, પાટીદાર સમાજ અને પાટીદાર વીરોએ કર્યું પ્રયાણ ........ શહીદી વ્હોરીને હસ્તે-હસ્તે મુખે કર્યું પ્રયાણ ........ સમાજ માટે શહીદી વ્હોરી જીવન ધન્ય કર્યું જેણે, હસ્તે મોં એ વિદાય લઇ કર્યું માં ઉમા-ખોડલ તને અંતિમ પ્રણામ ........ કાર્ય સમાજનું અધૂરું રહ્યું ચિંતા એની કરશો નહિ, સમય સમર્પણની રૂઢ પ્રતિજ્ઞા એ છે જીવન ધ્યેય હવે. તન મન ધન ન્યોછાર છે, પાટીદારો માટે. જન્મો-જન્મ સમર્પિત છે, પાટીદાર સમાજ માટે ..... શહીદ વીરો ને નમ્ર પ્રણામ.......
Published at : 20 Oct 2016 11:37 AM (IST)
View More























