શોધખોળ કરો
સરકારને આપેલા અલ્ટીમેટમ પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે કર્યો જળ ત્યાગ
1/3

પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર બેસેલો છે. પાસ કન્વિનર મનોજ પનારાએ જણાવ્યું હતું કે, ‘સરકાર હજુ સુધી કોઈ મુદ્દે વાત કરવા તૈયાર નથી. ભાજપના નેતાઓ નિવેદનો આપી રહ્યા છે. સૌરભ પટેલ કે જેઓ ઉર્જા મંત્રી છે તેઓ ખેડૂતોના મુદ્દે વાત કરી રહ્યા છે. કૃષિમંત્રીએ સામે આવી ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.
2/3

પાસ કન્વીનર મનોજ પનારાએ જણાવ્યું કે અમે ગઇ કાલે સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થાય છે. હાર્દિક પટેલે જાહેર કર્યા પ્રમાણે જળત્યાગ કર્યો છે. અમને લાગી રહ્યું છે કે સરકાર હાર્દિકને હોસ્પિટલાઇઝ કરવા ઇચ્છે છે. 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. તો મનોજ પનારાએ ઉર્જામંત્રી સૌરભ પટેલને કહ્યું કે તમારું ખાતું નથી છતા તમે કેમ નિવેદનો આપો છે, કૃષીમંત્રી કેમ કોઇ નિવેદન આપતાં નથી.
Published at : 06 Sep 2018 08:14 PM (IST)
View More





















