શોધખોળ કરો
CM રૂપાણીના ઘર અને ચોટીલાના ડુંગરમાં બોમ્બ રાખવામાં આવ્યા હોવાની મળી ધમકી, ISISના નામે પત્ર મળતા પોલીસમાં દોડધામ
1/6

ચોટીલા ડુંગર ટ્રસ્ટની તળેટીમાં આવેલ ઓફિસમાં ગુરુવારે બપોરે વસંતગિરિ ધીરજગીરી ગોસાઇને આ પત્ર વાંચી ચોંકી ઉઠ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરી હતી. ચોટીલાના પીએસઆઈ પી.જી.ગોહિલ, એસઓજીના પીએસઆઈ આર. એમ. ચુડાસમા, પ્રાંત અધિકારી ડામોર સહિત એફએસએલ ટીમ તથા સુરેન્દ્રનગરથી બોમ્બ સ્કવોર્ડ ડુંગર ઉપર ધસી આવી હતી.
2/6

તળેટીમાં આવેલા ડુંગર ટ્રસ્ટના ભોજનાલય અને અતિથિ ગૃહમાં પણ બોમ્બ સ્કવોર્ડ ટીમ દ્વારા ખૂણે ખૂણે તપાસ કરાઇ હતી. જ્યારે રાજકોટથી ડોગ સ્કોડની ટીમે પણ ડુંગર ઉપર તથા સમગ્ર તળેટી વિસ્તારમાં ડોગ દ્વારા તપાસ કરી હતી. પરંતુ કશુ જ વાંધાજનક મળી ના આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
Published at : 09 Dec 2016 06:54 AM (IST)
View More























