શોધખોળ કરો
રાજકોટ: ઉઘરાણીને લઈને વેપારીની એસિડ પીવડાવીને કરાઈ હત્યા, જાણો સુસાઈડ નોટમાં શું લખ્યું?
1/6

કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઇ મોડિયાએ જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં પોતે જિયાણા ગામે પહોંચ્યા હતા. જ્યાં પહોંચ્યા ત્યારે જયેશ રામાણી જિયાણામાં કિશોર રામાણીના ઘરમાં ખાટલા પર સૂતો હતો અને તે ચાલીને 108માં બેઠો હતો જોકે તે બોલી શકતો નહોતો. જયેશ અને એક અજાણ્યો શખ્સ જિયાણા ગામે કિશોર રામાણીના ઘરે પહોંચ્યા હતા. કિશોર અને તેની પત્ની જલ્પાબેન ચાલીને રૂમ તરફ જતા હતા ત્યારે જયેશે પાછળથી કિશોર રામાણી પર છરીથી હુમલો કર્યો હતો.
2/6

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જયેશ બે ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. જયેશની પત્ની સોનલબેન હાલમાં સગર્ભા છે. પરિવારમાં નવા સભ્યનું આગમન થાય તે પૂર્વે જયેશનાં મોતથી ગમગીની છવાઈ ગઈ હતી. જયેશની એસિડ પીવડાવી હત્યા કરાયાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી.
Published at : 06 Nov 2018 01:50 PM (IST)
Tags :
Rajkot PoliceView More




















