રાજકોટ:ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ આજથી થઇ રહ્યો છે ત્યારે આજે મંદિરમાં સ્થાપિત કરાનારી મા ખોડલની શોભાયાત્રા રાજકોટથી નિકળી હતી. મંદિરમાં કુલ 21 મૂર્તિ સ્થાપિત કરવાની છે ત્યારે સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી આ મૂર્તિઓની શોભાયાત્રા પણ નિકળી હતી.
3/8
4/8
રેસકોર્સ મેદાનથી શોભાયાત્રા શરૂ થઈ હતી. મહિલા કોલેજ અંડરબ્રિજ, કેકેવી ચોક, 150 ફૂટ રિંગરોડ થઇને ગોંડલ ચોકડી, નેશનલ હાઇવે, ગોંડલ, વીરપુર થઇને કાગવડ ખોડલધામ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, મારૂ સ્વપ્ન આજે પૂરુ થયું હોવાથી ખૂબ જ ખુશ છું. દરેક સમાજના લોકોનો હું આભાર માનુ છું.
5/8
મા ખોડલની શોભાયાત્રામાં જોડાવા માટે રાજકોટના રેસકોર્સ મેદાનમાં રાત્રીથી જ પટેલ સમાજના લોકો લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આખી રાત મા ખોડલના ગરબા ગવાયા હતા અને માહોલ ભક્તિસભર બની ગયો હતો. વહેલી સવારે એક લાખથી વધારે લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.
6/8
રાજકોટથીમાં ખોડિયાર માતાજીની મૂર્તિને એક લાખથી વધારે લોકો વાજતે ગાજતે લઇ કાગવડ બપોરના એક વાગે પહોંચશે. આ શોભાયાત્રામાં 1 હજાર બુલેટ, 4 હજાર કાર, 10 હજાર બાઇક, 75 ફ્લોટ્સ, મહિલા સમિતિની 151 બસ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે. આ શોભાયાત્રા 35થી 40 કિલોમીટર જેટલી લાંબી છે.
7/8
આજે સવારે 7 વાગે ખોડલધામના નરેશ પટેલ અને કેશુભાઇ પટેલે દીપપ્રાગટ્ય કરી મા ખોડલની આરતી ઉતારી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. નાસિક અને મહારાષ્ટ્રના ઢોલ અને ત્રાંસા સાથે 50 વાદ્યકારોની ટીમે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. 3000 કાર, 7000 બાઇક અને 75 ફ્લોટ સાથે શોભાયાત્રા નીકળી હતી.
8/8
આ શોભાયાત્રાઓ બપોરે 1 સુધીમાં મા ખોડલના ધામ કાગવડ પહોંચશે. મંદિરની મુખ્ય મા ખોડલની મૂર્તિ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે રાખવામાં આવી હતી. મા ખોડલને આવકારવા માટે લેઉવા પટેલ સમાજના લાખો લોકો વહેલી સવારે કડકડતી ઠંડીમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ઉમટી પડ્યા હતા.