શોધખોળ કરો
રાજકોટઃ સગીરાને બે મહિના સુધી ગોંધી રાખી પોલીસ કોન્સ્ટેબલે ગુજાર્યો બળાત્કાર, કેવી રીતે થયો પર્દાફાશ?
1/7

તપાસ દરમિયાન સગીરા ક્વાર્ટરમાંથી મળી આવતાં જેના નામે ક્વાર્ટર હતું તે રામજીભાઈ ડાભી અને સગીરાને પોલીસ સ્ટેશન લવાયા હતા. અહીં સગીરાએ તેનું અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હોવાનું નિવેદન આપતાં કોન્સ્ટેબલ સામે અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
2/7

દીકરીની ભાળ મળતાં સગીરાના પિતાએ પોલીસને જાણ કરી હતી અને તેમને સાથે રાખી તપાસ કરતાં સગીરા મળી આવી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ગત આઠમાં મહિનામાં શહેરના ભુવનેશ્વર વાડીમાંથી સગીરા ગુમ થઈ હતી. ગઈ કાલે આ સગીરા છત્રપતિ ટાઉનશિપમાં આવેલા પોલીસ ક્વાર્ટરમાં એક છોકરી હોવાનો કોલ મળતાં ત્યાં તપાસ કરવામાં આવી હતી.
Published at : 07 Oct 2017 02:56 PM (IST)
View More























