ત્યારબાદ વૃદ્ધા સાથે જબરદસ્તી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઘટનાનો ભોગ બનેલા વૃદ્ધાએ રિક્ષાચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે વૃદ્ધાનું નિવેદન નોંધી રિક્ષાચાલકને પકડવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.
2/4
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, માયાણીનગરમાં રહેલા 62 વર્ષીય વૃદ્ધાને રૂખડિયા પરા, રાજીવનગર-1માં રહેતો રિક્ષાચાલક રણજીત પૂનાભાઈ જાખેરિયા ઘણા સમયથી તેમને નોકરીના સ્થળેથી લઈ-મૂકી જવાનું કામ કરે છે. અને તેના માટે રિક્ષાચાલકને વૃદ્ધા નક્કી કરેલા રૂપિયા પણ ચૂકવતી હતી.
3/4
દરમિયાન ગત 21મી જાન્યુઆરીના રોજ બપોરના ત્રણ કલાકે પોતાને નોકરીના સ્થળેથી ઘરે જવાનું હતું અને રિક્ષાચાલક સમયસર આવી પણ પહોંચ્યો હતો. અને તેન વૃદ્ધાને માયાણીનગરના ઘરે લઈ જવાના બદલે જનાના હોસ્પિટલ પાસે આવેલા એક ગોડાઉન પાસે લઈ ગયો હતો.
4/4
રાજકોટ: આજકાલ ધોળા દિવસે પણ મહિલાઓની ઈજ્જત લૂંટાઈ રહી છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે. રાજકોટના માયાણીનગરમાં રહેલા એક 62 વર્ષીય વૃદ્ધાને નોકરીના સ્થળેથી તેમના ઘરે લઈ જવાના બદલે રિક્ષાચાલકે વૃદ્ધાને જનાના હોસ્પિટલ પાસે આવેલા એક ગોડાઉનમાં લઈ જઈ તેમના ઉપર દૃષ્કર્મ ગુજાર્યો હતો. જેની ફરિયાદ વૃદ્ધાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.