શોધખોળ કરો
હોમરાજકોટરાજકોટઃ 'પતિને પેરેલિસીસ એટેક આવ્યા પછી મનોજ આખો દિવસ મારા ઘરે રહેતો, પતિની હાજરીમાં જ પરાણે બાંધતો સંબંધ'
રાજકોટઃ 'પતિને પેરેલિસીસ એટેક આવ્યા પછી મનોજ આખો દિવસ મારા ઘરે રહેતો, પતિની હાજરીમાં જ પરાણે બાંધતો સંબંધ'
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 28 Jan 2017 10:16 AM (IST)
1/8

મહિલાના પતિને ત્રણ વર્ષ પહેલા પેરેલિસીસ એટેક આવ્યા પછી મનોજ આખો દિવસ મારા ઘરમાં જ પડ્યો રહેતો હતો અને બળાત્કાર ગુજારતો હતો. એક વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હતું. આ પછી તેણે મનોજને લગ્ન કરવાનું કહેતાં તેણે સંબંધો તોડી નાખ્યા હતા. આ પહેલા વીસ દિવસ પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો અને પછી સંબંધ ઓછા કરી નાંખ્યા છે. તેના પૈસે લીધેલી ચીજવસ્તુઓ પણ તે પાછી આપતો નથી.
2/8

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મનોજ તેના પતિને પણ દારૂ અને નોનવેજ ખવડાવતો હતો. તે ક્રિમીનલ રેકોર્ડ ધરાવતો હોઇ તેને લોન ન મળતી હોઇ મારા નામે એ.સી., ફ્રિઝ, એકટીવા તથા મનોજના પુત્ર મુરલીને ૪૫ હજારનું લેપટોપ લઇ દીધુ હતું. જેના હપ્તા મારા ખાતામાંથી કપાતા હતાં. મનોજે એક રૂપિયોય આપ્યો નથી.
3/8

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, મનોજના ટોર્ચરથી કંટાળીને તેણે વંદા મારવાની દવા પી લીધી હતી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જોકે, આ સમયે તેણે માફી માંગી હવે પછી હેરાન નહીં કરવાનું જણાવતાં મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
4/8

મહિલાની ફરિયાદ છે કે, તે દારૂ પીને તેમના ઘરે આવતો હતો અને શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. મહિલા તાબે ન થાય તો મારઝૂડ કરી પરાણે સંબંધ બાંધતો હતો. એટલું જ નહીં, તે પોતાની રખાત છે, એવું કહેતો હતો.
5/8

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક દિવસ તે પોતાની દીકરીને લઈ વિરપુર મનોજ સાથે ફરવા ગઇ હતી. જ્યાં મનોજે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા હોવાનું જણાવી તેને લગ્નની ઓફર આપી હતી. આ લગ્ની લાલચ આપ્યા પછી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર પછી મનોજ તેને અજમેર અને મુંબઇ પણ લઇ ગયો હતો. અજમેરમાં પણ બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા.
6/8

મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમનો પતિ મોટે ભાગે બહારગામ રહેતાં હોઇ અને મહિલાને નોકરીની નાઇટ ડ્યુટીમાંથી મોડેથી ઘરે આવવાનું થતું હોઇ મનોજ લેવા-મુકવા આવતો હતો. જેથી બંને વચ્ચે સંબંધો મજબૂત બન્યા હતા. સંબંધો ગાઢ બન્યા પછી તેમની વચ્ચે સેક્સ સંબંધો પણ સ્થાપિત થયા હતા.
7/8

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાની દીકરી સાથે રહે છે અને ડ્રેસ મટીરીયલ્સ તથા ઈમીટેશનની ચીજવસ્તુઓ વેંચી ગુજરાન ચલાવું છે. તેના પતિ ડ્રાઇવિંગ કરતાં હતા અને એક વર્ષ પહેલાં તેમનું નિધન થયું છે. તેમના પતિ જીવતા હતા, ત્યારે તેઓ કરણસિંહજી રોડ પર રામકુટીર નામના મકાનમાં રહેતાં મનોજ બુંદેલા સાથે ઓળખાણ થઈ હતી અને પછી તેની મહિલાના ઘરે પણ અવર-જવર શરૂ થઈ હતી.
8/8

રાજકોટઃ શહેરની 37 વર્ષીય યુવતીએ પોતાના પતિના મિત્ર સામે લગ્નની લાલચ આપીને પહેલાં શરીર સંબંધ અને પછી અવાર-નવાર દારૂ પી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ મહિલા પોલીસમાં કરી છે. વિધવા મહિલાની ફરિયાદને આધારે પોલીસે મનોજ રતિલાલ બુંદેલા સામે બળાત્કારનો ગુનો નોંધી તેને ઝડપવા કવાયત શરૂ કરી છે.
Published at : 28 Jan 2017 10:16 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
રાજકોટ
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
રાજકોટ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
રાજકોટ
Rajkot: રાજકોટમાં લગ્નની જીદ પરણિત મહિલાને પડી ભારે, નાની વયના પ્રેમીએ ટ્રેન સાથે ભટકાવી કરી હત્યા
રાજકોટ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ
ટ્રેન્ડિંગ સમાચાર





















