શોધખોળ કરો
રાજકોટઃ 'પતિને પેરેલિસીસ એટેક આવ્યા પછી મનોજ આખો દિવસ મારા ઘરે રહેતો, પતિની હાજરીમાં જ પરાણે બાંધતો સંબંધ'
1/8

મહિલાના પતિને ત્રણ વર્ષ પહેલા પેરેલિસીસ એટેક આવ્યા પછી મનોજ આખો દિવસ મારા ઘરમાં જ પડ્યો રહેતો હતો અને બળાત્કાર ગુજારતો હતો. એક વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હતું. આ પછી તેણે મનોજને લગ્ન કરવાનું કહેતાં તેણે સંબંધો તોડી નાખ્યા હતા. આ પહેલા વીસ દિવસ પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો અને પછી સંબંધ ઓછા કરી નાંખ્યા છે. તેના પૈસે લીધેલી ચીજવસ્તુઓ પણ તે પાછી આપતો નથી.
2/8

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મનોજ તેના પતિને પણ દારૂ અને નોનવેજ ખવડાવતો હતો. તે ક્રિમીનલ રેકોર્ડ ધરાવતો હોઇ તેને લોન ન મળતી હોઇ મારા નામે એ.સી., ફ્રિઝ, એકટીવા તથા મનોજના પુત્ર મુરલીને ૪૫ હજારનું લેપટોપ લઇ દીધુ હતું. જેના હપ્તા મારા ખાતામાંથી કપાતા હતાં. મનોજે એક રૂપિયોય આપ્યો નથી.
Published at : 28 Jan 2017 10:16 AM (IST)
View More























