શોધખોળ કરો
ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ કાળી પટ્ટી બાંધીને ઉતરી મેદાનમાં, જાણો શું છે કારણ
1/3

સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ચોથી મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાએ રમાકાંત આચરેકરચને શ્રદ્ધાંજલિ આપી હતી. આ માટે ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. આ અંગે બીસીસીઆઈએ ટ્વિટ કરીને પુષ્ટિ કરી હતી. બોર્ડે ટ્વિટ કર્યું કે, રમાકાંત આચરેકરના નિધન પર તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા ભારતીય ટીમના ખેલાડી આજે મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા છે.
2/3

મુંબઈઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને વિશ્વ ક્રિકેટમાં ભગવાન તરીકે પુજાતા લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરના કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા રમાકાંત આચરેકરનું 87 વર્ષની વયે મુંબઈમાં નિધન થતાં ભારતીય ક્રિકેટમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. આચરેકર છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા.
Published at : 03 Jan 2019 08:11 AM (IST)
View More





















