શોધખોળ કરો
BCCIએ કર્યું CACનું ગઠન, મદન લાલ-આરપી સિંહ અને સુલક્ષણા નાઈકને કર્યા સામેલ
ક્રિકેટ સલાહકાર સમિતિ(CAC)માં પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર મદન લાલ, આર.પી. સિંહ અને સલક્ષણા નાઈકને સામેલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર મદન લાલ, આર.પી. સિંહ અને સલક્ષણા નાઈકને ત્રણ સદસ્યની ક્રિકેટ સલાહકાર સમિતિ(CAC)માં સામેલ કરવાની જાહેરાત કરી છે.
🚨News Alert 🚨
📰BCCI appoints 3-member Cricket Advisory Committee Full Details here 👉👉 https://t.co/nMMbAUBtki pic.twitter.com/lnYSARUEXo — BCCI (@BCCI) January 31, 2020
ક્રિકેટ સલાહકાર સમિતિએ હાલ સીનિયર પસંદગીકર્તા સમિતિમાં કાર્યકાળ પૂરો કરી ચુકેલા બે સભ્યોની જગ્યા માટે સિલેક્ટરોની પસંદગી કરવાની રહેશે. CACએ એમએસકે પ્રસાદ(દક્ષિણ ઝોન) અને ગનગ ખોડા (મધ્ય ઝોન)નો વિકલ્પ શોધવો પડશે. બીસીસીઆઈના સચિવ જય શાહે એક નિવેદનમાં કહ્યું કે, સીએસીની નિયુક્તિ એક વર્ષ માટે કરવામાં આવશે. કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડની હાજરીમાં થયેલા સીએસીના હિતોના લઈને તકરારનો આરોપ લાગ્યા બાદ પદ છોડી દીધું હતું.
વધુ વાંચો























