શોધખોળ કરો
IPLમાં કોઈ ખરીદવા તૈયાર ન હતું આ બેટ્સમેનને, હવે કરી ધમાકેદાર બેટિંગ
1/4

પ્રથમ દિવસે ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું બીજા દિવસે પંજાબની ટીમ માલિક પ્રીતિ ઝિંટાએ 39 વર્ષના આ સ્ટાર ખેલાડી પર દાવ ખેલ્યો અને બેસ પ્રાઈસમાં જ તેને ખરીદી લીધો. કહેવાય છે કે, ગેલને ખરીદવા પાછળ ટીમ મેન્ટર વીરેન્દ્ર સેહવાગનો હાથ હતો. સેહવાગ ખુદ પણ વિસ્ફોટક બેટ્સમેન રહ્યા છે અને એવામાં એ જ હતા જેને આ નાના ફોર્મેટમાં ગેલની પ્રતિભાની ઓળખ હતી. આ રીતે ગેલ પંજાબની ટીમનો ભાગ બન્યો. જોકે શરૂઆતના 2 મેચમાં અંતિમ 11માં તેને સ્થાન મળ્યું ન હતું.
2/4

ગેલે સીઝનની શરૂઆત તોફાની ઇનિંગ સાથે કરી હતી પરંતુ તેની સફર એટલી સરળ રહી ન હતી. આ સીઝન માટે ખેલાડીઓની હરાજી સમયે એવું લાગતું હતું કે ગેલને કોઈ ખરીદશે જ નહીં અને આ આઈપીએલમાં રમશે નહીં. માત્ર 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસવાળા ગેલને કોઈ ખરીદદાર મળ્યું ન હતું. એ પણ એવા સમયે જ્યારે મનીષ પાંડે અને કેએલ રાહુલ જેવા ઉભરાત સ્ટાર 11-11 કરોડ રૂપિયામાં વેચાયા હતા.
Published at : 16 Apr 2018 09:53 AM (IST)
View More























