શોધખોળ કરો

BCCI Vs PCB: રમીઝ રાજાને ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ

રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય.

Anurag Thakur Reply : T20 વર્લ્ડકપ 2022 બાદ હવે ODI વર્લ્ડકપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથો સાથ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ ODI વર્લ્ડકપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી હતી. ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું જેને લઈને વર્લ્ડ ક્રિકેટમાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય. એટલું જ નહીં રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં ભાગ નહીં લે તો વર્લ્ડકપ જોશે જ કોણ? 

ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે એક ખાસ વાતચીતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારત વિશ્વ ક્રિકેટમાં એક મોટી તાકાત છે. વર્લ્ડકપ માટે ભારત આવનારી પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની રમીઝ રાજાની ધમકી પર રમત મંત્રીએ કહ્યું હતું કે, તમે યોગ્ય સમયની રાહ જુઓ. ભારત ક્રિકેટમાં વિશ્વ શક્તિ છે અને તેને કોઈ અવગણી ના શકે.

BCCI અને PCB આમને-સામને

ઉલ્લેખનીય છે કે, ICCના શેડ્યૂલ મુજબ વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ BCCI સેક્રેટરી જય શાહે થોડા સમય પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય કારણ કે ત્યાં સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ છે. ત્યાર બાદથી જ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે.

રમીઝ રાજાએ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો તે એશિયા કપ અને વર્લ્ડકપનો બહિષ્કાર કરશે. પીસીબીએ પણ આઈસીસી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વિશ્વ ક્રિકેટમાં બીસીસીઆઈની તાકાત અને સુરક્ષાના તર્ક સામે પીસીબી માટે જીત મેળવવી મુશ્કેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget