શોધખોળ કરો

BCCI Vs PCB: રમીઝ રાજાને ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ

રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય.

Anurag Thakur Reply : T20 વર્લ્ડકપ 2022 બાદ હવે ODI વર્લ્ડકપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથો સાથ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ ODI વર્લ્ડકપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી હતી. ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું જેને લઈને વર્લ્ડ ક્રિકેટમાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય. એટલું જ નહીં રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં ભાગ નહીં લે તો વર્લ્ડકપ જોશે જ કોણ? 

ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે એક ખાસ વાતચીતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારત વિશ્વ ક્રિકેટમાં એક મોટી તાકાત છે. વર્લ્ડકપ માટે ભારત આવનારી પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની રમીઝ રાજાની ધમકી પર રમત મંત્રીએ કહ્યું હતું કે, તમે યોગ્ય સમયની રાહ જુઓ. ભારત ક્રિકેટમાં વિશ્વ શક્તિ છે અને તેને કોઈ અવગણી ના શકે.

BCCI અને PCB આમને-સામને

ઉલ્લેખનીય છે કે, ICCના શેડ્યૂલ મુજબ વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ BCCI સેક્રેટરી જય શાહે થોડા સમય પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય કારણ કે ત્યાં સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ છે. ત્યાર બાદથી જ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે.

રમીઝ રાજાએ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો તે એશિયા કપ અને વર્લ્ડકપનો બહિષ્કાર કરશે. પીસીબીએ પણ આઈસીસી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વિશ્વ ક્રિકેટમાં બીસીસીઆઈની તાકાત અને સુરક્ષાના તર્ક સામે પીસીબી માટે જીત મેળવવી મુશ્કેલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Embed widget