શોધખોળ કરો

BCCI Vs PCB: રમીઝ રાજાને ભારતના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરનો સણસણતો જવાબ

રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય.

Anurag Thakur Reply : T20 વર્લ્ડકપ 2022 બાદ હવે ODI વર્લ્ડકપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથો સાથ ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ ODI વર્લ્ડકપ માટે ભારત નહીં આવવાની ધમકી આપી હતી. ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ રમીઝ રાજાએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું જેને લઈને વર્લ્ડ ક્રિકેટમાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. રમીઝ રાજાએ ધમકી ભર્યા સ્વરમાં કહ્યું હતું કે, જો ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પાકિસ્તાનની ટીમ વનડે વર્લ્ડકપ રમવા માટે ભારત નહીં જાય. એટલું જ નહીં રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાં ભાગ નહીં લે તો વર્લ્ડકપ જોશે જ કોણ? 

ભારતના રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે એક ખાસ વાતચીતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાને વળતો જવાબ આપ્યો હતો. અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ભારત વિશ્વ ક્રિકેટમાં એક મોટી તાકાત છે. વર્લ્ડકપ માટે ભારત આવનારી પાકિસ્તાની ટીમનો બહિષ્કાર કરવાની રમીઝ રાજાની ધમકી પર રમત મંત્રીએ કહ્યું હતું કે, તમે યોગ્ય સમયની રાહ જુઓ. ભારત ક્રિકેટમાં વિશ્વ શક્તિ છે અને તેને કોઈ અવગણી ના શકે.

BCCI અને PCB આમને-સામને

ઉલ્લેખનીય છે કે, ICCના શેડ્યૂલ મુજબ વર્ષ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો છે. પરંતુ BCCI સેક્રેટરી જય શાહે થોડા સમય પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય કારણ કે ત્યાં સુરક્ષાને લઈને ઘણી સમસ્યાઓ છે. ત્યાર બાદથી જ બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે શબ્દયુદ્ધ શરૂ થઈ ગયું છે.

રમીઝ રાજાએ અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો તે એશિયા કપ અને વર્લ્ડકપનો બહિષ્કાર કરશે. પીસીબીએ પણ આઈસીસી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે વિશ્વ ક્રિકેટમાં બીસીસીઆઈની તાકાત અને સુરક્ષાના તર્ક સામે પીસીબી માટે જીત મેળવવી મુશ્કેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget