શોધખોળ કરો

Asia Cup 2023: એશિયા કપ અગાઉ અફઘાનિસ્તાનનો મોટો નિર્ણય, આ ગુજરાતી ક્રિકેટરને સોંપી મોટી જવાબદારી

Asia Cup 2023: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની ટીમના કોચિંગ સ્ટાફમાં એક નવા સભ્યનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે

Asia Cup 2023:

Afghanistan Appoint New Batting Coach: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની ટીમના કોચિંગ સ્ટાફમાં એક નવા સભ્યનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ જવાબદારી ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી મિલાપ મેવાડાને સોંપી છે. મિલાપ મેવાડા બરોડા ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટ રમી છે. મિલાપ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણના પણ ખૂબ નજીકના ગણાય છે. મિલાપ અફઘાન ટીમ સાથે જોડાઈ ગયા છે અને તે પાકિસ્તાન સામેની આગામી શ્રેણીમાં જવાબદારી સંભાળતા જોવા મળશે.

બરોડા ટીમ તરફથી રમી ચૂક્યો છે મેવાડા

ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન મિલાપ મેવાડા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં બરોડા ટીમ માટે રમ્યા હતા, તેમની અગાઉ બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝ દરમિયાન અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પછી તેઓએ મિલાપનો કોન્ટ્રાક્ટ આ વર્ષે ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. હવે અફઘાન ટીમને વિશ્વાસ છે કે આ સાથે તેમના બેટ્સમેનોને વન-ડે વર્લ્ડ કપ દરમિયાન મિલાપના અનુભવનો પૂરો ફાયદો મળશે.

ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણે મિલાપ મેવાડાને અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ અભિનંદન પાઠવ્યા હતા. ઈરફાન અને મિલાપ બરોડા ટીમ માટે સાથે રમ્યા છે. મિલાપ 1996 થી 2006 દરમિયાન બરોડા અને પશ્ચિમ ઝોનની ટીમ તરફથી રમી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મિલાપે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકામાં પાકિસ્તાન સામે શ્રેણી રમશે

એશિયા કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમ પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે 22 ઓગસ્ટથી શ્રીલંકામાં પાકિસ્તાન સામે 3 મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ 2 મેચ હમ્બનટોટામાં રમાશે જ્યારે છેલ્લી મેચ 26 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. એશિયા કપમાં અફઘાન ટીમ તેની પ્રથમ મેચ 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ ટીમ સામે રમશે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાદ હવે નેપાળે પણ એશિયા કપ 2023 માટે પોતાની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત નેપાળ એશિયા કપમાં રમતું જોવા મળશે, જેમાં રોહિત પૌડેલ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ટીમમાં નેપાળના પૂર્વ કેપ્ટન લેગ સ્પિનર ​​સંદીપ લામિછાનેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના બળાત્કારનો આરોપ લાગ્યા બાદ જામીન પર બહાર છે.

ટોપ સ્ટોરી

Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
Test Cricket: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ-10 બોલર્સ, લીસ્ટમાં બે ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ
IND vs SL 2nd Test: કોલંબોના મેદાન પર રવિન્દ્ર જાડેજાના નામે નોંધાશે અનોખો વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો
Embed widget