શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Poll of Polls | 6 PM)

Asia Cup 2023: એશિયા કપ અગાઉ અફઘાનિસ્તાનનો મોટો નિર્ણય, આ ગુજરાતી ક્રિકેટરને સોંપી મોટી જવાબદારી

Asia Cup 2023: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની ટીમના કોચિંગ સ્ટાફમાં એક નવા સભ્યનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે

Asia Cup 2023:

Afghanistan Appoint New Batting Coach: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ આગામી એશિયા કપ અને વન-ડે વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની ટીમના કોચિંગ સ્ટાફમાં એક નવા સભ્યનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ જવાબદારી ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના ભૂતપૂર્વ ખેલાડી મિલાપ મેવાડાને સોંપી છે. મિલાપ મેવાડા બરોડા ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટ રમી છે. મિલાપ પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણના પણ ખૂબ નજીકના ગણાય છે. મિલાપ અફઘાન ટીમ સાથે જોડાઈ ગયા છે અને તે પાકિસ્તાન સામેની આગામી શ્રેણીમાં જવાબદારી સંભાળતા જોવા મળશે.

બરોડા ટીમ તરફથી રમી ચૂક્યો છે મેવાડા

ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન મિલાપ મેવાડા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં બરોડા ટીમ માટે રમ્યા હતા, તેમની અગાઉ બાંગ્લાદેશ સામેની ટી-20 સીરિઝ દરમિયાન અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ પછી તેઓએ મિલાપનો કોન્ટ્રાક્ટ આ વર્ષે ડિસેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. હવે અફઘાન ટીમને વિશ્વાસ છે કે આ સાથે તેમના બેટ્સમેનોને વન-ડે વર્લ્ડ કપ દરમિયાન મિલાપના અનુભવનો પૂરો ફાયદો મળશે.

ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી ઈરફાન પઠાણે મિલાપ મેવાડાને અફઘાનિસ્તાન ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ અભિનંદન પાઠવ્યા હતા. ઈરફાન અને મિલાપ બરોડા ટીમ માટે સાથે રમ્યા છે. મિલાપ 1996 થી 2006 દરમિયાન બરોડા અને પશ્ચિમ ઝોનની ટીમ તરફથી રમી ચૂક્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મિલાપે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.

અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકામાં પાકિસ્તાન સામે શ્રેણી રમશે

એશિયા કપ પહેલા અફઘાનિસ્તાનની ટીમ પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે 22 ઓગસ્ટથી શ્રીલંકામાં પાકિસ્તાન સામે 3 મેચની વનડે શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ 2 મેચ હમ્બનટોટામાં રમાશે જ્યારે છેલ્લી મેચ 26 ઓગસ્ટે કોલંબોમાં રમાશે. એશિયા કપમાં અફઘાન ટીમ તેની પ્રથમ મેચ 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ ટીમ સામે રમશે.

પાકિસ્તાન અને બાંગ્લાદેશ બાદ હવે નેપાળે પણ એશિયા કપ 2023 માટે પોતાની 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત નેપાળ એશિયા કપમાં રમતું જોવા મળશે, જેમાં રોહિત પૌડેલ ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ટીમમાં નેપાળના પૂર્વ કેપ્ટન લેગ સ્પિનર ​​સંદીપ લામિછાનેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેના બળાત્કારનો આરોપ લાગ્યા બાદ જામીન પર બહાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Embed widget