શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

IND vs NZ: બીજી ટેસ્ટ નહીં રમે ઋષભ પંત ? ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ આ ધાંસૂ ખેલાડીને મળશે સ્થાન

Rishabh Pant Injury Update: ટીમ મેનેજમેન્ટ દ્વારા ધ્રુવ જુરેલને ટેસ્ટ કરાવવો ટીમ ઈન્ડિયાના હિતમાં હોઈ શકે છે

Rishabh Pant Injury Update: બેંગલુરુ ટેસ્ટ મેચમાં ભારતને ન્યૂઝીલેન્ડના હાથે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી શરૂ થવાની છે, જે પુણેમાં રમાશે, પરંતુ બીજી મેચની શરૂઆત પહેલા ઋષભ પંતની ઈજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય છે. પંતને પ્રથમ ટેસ્ટ મેચમાં જમણા ઘૂંટણમાં બોલ વાગતા ઈજા થઈ હતી. આ કારણે તે બીજા દિવસ પછી વિકેટ કીપિંગ કરતો જોવા મળ્યો ન હતો.

હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, પસંદગીકારોએ ઋષભ પંતને રમવા કે નહીં રમવાનો નિર્ણય સંપૂર્ણપણે ટીમ મેનેજમેન્ટ પર છોડી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચમાં બીજા દિવસ પછી ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો હતો. તેથી, જો પંત બીજી ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં તો ધ્રુવ જુરેલનું પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નિશ્ચિત બની જશે. જુરેલે ભારત માટે અત્યાર સુધી 3 ટેસ્ટ મેચમાં 63.33ની એવરેજથી 190 રન બનાવ્યા છે. આ વર્ષે તેણે ઈંગ્લેન્ડ સામે 90 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ટીમ મેનેજમેન્ટ દ્વારા ધ્રુવ જુરેલને ટેસ્ટ કરાવવો ટીમ ઈન્ડિયાના હિતમાં હોઈ શકે છે. કારણ કે તે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બીજી તરફ, ગયા રવિવારે રિષભ પંતે કહ્યું હતું કે જીવનમાં અને કરિયરમાં ઉતાર-ચઢાવ આવશે, પરંતુ તેણે દરેક વખતે હિંમતભેર તેનો સામનો કરવો પડશે.

ભારતને હારથી બચાવી ના શક્યો ઋષભ પંત - 
બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજીતરફ, જવાબમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની જંગી લીડ મેળવી લીધી હતી. આવી સ્થિતિમાં ભારતને બીજા દાવમાં જીતનો માર્ગ મોકળો કરવા માટે કિવી ટીમ કરતા મોટો સ્કોર કરવાની જરૂર હતી. પંતે ભારતની બીજી ઇનિંગમાં 99 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને 150 રન બનાવનાર સરફરાઝ ખાન સાથે 177 રનની ભાગીદારી પણ કરી હતી. પરંતુ પંત-સરફરાઝની આ ઈનિંગ્સ ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં નિષ્ફળ સાબિત થઈ.

આ પણ વાંચો

T20 WC: સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો 

                                                                                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
Bihar Politics:  RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
Bihar Politics: RJD ની હાર બાદ લાલુ પ્રસાદના ઘરમાં ભંગાણ, રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની કરી જાહેરાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ: અનૈતિક સંબંધોની શંકામાં પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે કર્યો આપઘાત
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પતિએ કરી યુવતીની હત્યા, લગ્નગીતોની જગ્યાએ મરશિયા ગવાયા
Embed widget