![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Team India: ભારતીય ટીમને ક્યારે મળશે નવા કૉચ ? BCCI સચિવ જય શાહે આપ્યો જવાબ, ગંભીરની સાથે આ નામ રેસમાં
Team India Head Coach: પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરના નામની અટકળો ચાલી રહી છે. ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ગંભીર અને ભારતીય મહિલા ટીમના ભૂતપૂર્વ કૉચ ડબલ્યૂવી રમનનો ઈન્ટરવ્યૂ લીધો છે
![Team India: ભારતીય ટીમને ક્યારે મળશે નવા કૉચ ? BCCI સચિવ જય શાહે આપ્યો જવાબ, ગંભીરની સાથે આ નામ રેસમાં cricket news bcci secretary jay shah gave answer gautam gambhir or wv raman india tour of sri lanka 2024 after rahul dravid Team India: ભારતીય ટીમને ક્યારે મળશે નવા કૉચ ? BCCI સચિવ જય શાહે આપ્યો જવાબ, ગંભીરની સાથે આ નામ રેસમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/01/f203a0381c3cc510a9286e456c196882171982392873077_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team India Head Coach Joining date, Rahul Dravid or WV raman: ભારતીય ક્રિકેટ ટીમના આગામી 'મહાગુરુ' એટલે કે મુખ્ય કૉચ કોણ હશે ? તે ક્યાં સુધી આ પદ સંભાળશે ? BCCI સેક્રેટરી જય શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે. જય શાહે સોમવારે (1 જુલાઈ) જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કૉચ આ મહિનાના અંતમાં શ્રીલંકામાં લિમીટેડ ઓવરોની સીરીઝ માટે ટીમ સાથે જોડાશે, જો કે તેણે રાહુલ દ્રવિડની વિદાય પછી કોનું નામ જાહેર કર્યું ના હતું. પરંતુ તે સ્ટેમ્પ્ડ છે. દ્રવિડનો કાર્યકાળ ભારતની ટી20 વર્લ્ડકપ ફાઇનલ મેચ (29 જૂન) સુધીનો હતો.
પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરના નામની અટકળો ચાલી રહી છે. ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ગંભીર અને ભારતીય મહિલા ટીમના ભૂતપૂર્વ કૉચ ડબલ્યૂવી રમનનો ઈન્ટરવ્યૂ લીધો છે.
શાહે કહ્યું કે ટૂંક સમયમાં પસંદગીકારની પણ નિમણૂક કરવામાં આવશે. શાહ ટી20 વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડિઝ આવ્યા હતા, જ્યાં ભારતે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.
મીડિયા સાથે વાત કરતા શાહે કહ્યું, 'મુખ્ય કૉચ અને પસંદગીકારની નિમણૂક ટૂંક સમયમાં કરવામાં આવશે. CACએ બે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લીધા છે અને મુંબઈ ગયા પછી અમે તેમના નિર્ણયનો અમલ કરીશું. VVS લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે, પરંતુ નવા કોચ શ્રીલંકા શ્રેણી સાથે જ જોડાયેલા રહેશે ભારતીય ટીમ 27 જુલાઈથી ત્રણ ટી20 અને ત્રણ વનડે રમવા માટે શ્રીલંકા જશે.
ભારતે 11 વર્ષ બાદ ICC ખિતાબ જીતવા પર ખુશી વ્યક્ત કરતા શાહે રોહિત શર્મા અને વિરાટ કોહલીની પ્રશંસા કરી હતી. આ મેચ બાદ વિરાટ, રોહિત અને રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું.
શાહે કહ્યું, 'ગયા વર્ષે પણ તે (રોહિત) કેપ્ટન હતો અને અહીં પણ. ગયા વર્ષે પણ અમે ફાઈનલ સિવાયની તમામ મેચો જીતી હતી. આ વખતે મેં વધુ મહેનત કરી અને ટાઇટલ જીત્યું. જ્યારે અન્ય ટીમો સાથે સરખામણી કરવામાં આવે તો રોહિતથી લઈને વિરાટ સુધી દરેકે શાનદાર પ્રદર્શન કર્યું. અનુભવે ઘણો ફરક પાડ્યો.
હાર્દિકના કેપ્ટન બનવા પર શું બોલ્યા જય શાહ
હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને રોહિત બાદ તેને કેપ્ટન બનાવવાની સંભાવના અંગે શાહે કહ્યું, 'સિલેક્ટર્સ કેપ્ટનશિપ નક્કી કરશે. અમે તેમની સાથે વાત કરીશું અને તેની જાહેરાત કરીશું. હાર્દિકના ફોર્મ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પરંતુ અમે અને પસંદગીકારોએ તેના પર વિશ્વાસ કર્યો અને તે તેના પર ખરા ઉતર્યા.
ભારતીય ટીમનો સન્માન સમારોહ થશે જોરદાર
BCCI ભારતીય ટીમના સન્માન સમારોહનું આયોજન કરી રહ્યું છે, પરંતુ વાવાઝોડાની ચેતવણીને કારણે બાર્બાડોસ એરપોર્ટ બંધ છે અને ટીમ અહીં અટવાઈ ગઈ છે, શાહે કહ્યું, 'તમારી જેમ અમે પણ અહીં અટવાઈ ગયા છીએ. ભારત પહોંચ્યા બાદ સમારોહ વિશે વિચારશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)