![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાઈ શકે છે વર્લ્ડ કપ મેચ, ઓક્ટોબરમાં શરૂ થશે ટુર્નામેન્ટ
India vs Pakistan: ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે.
![ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાઈ શકે છે વર્લ્ડ કપ મેચ, ઓક્ટોબરમાં શરૂ થશે ટુર્નામેન્ટ ICC ODI World Cup 2023: The World Cup match between India and Pakistan can be played in Ahmedabad ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાઈ શકે છે વર્લ્ડ કપ મેચ, ઓક્ટોબરમાં શરૂ થશે ટુર્નામેન્ટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/05/c8c39a0c7e0882796e32b2553dbf5803168326096219876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs Pakistan Ahmedabad ICC ODI World Cup 2023: ભારત-પાકિસ્તાન મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર હોય છે. ICC ODI વર્લ્ડ કપ 2023 ભારતમાં યોજાવાનો છે. તે આ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાઈ શકે છે. વર્લ્ડ કપને લઈને મોટા સમાચાર આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અમદાવાદના સ્થળને સીલ કરવા જઈ રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ત્યારથી બંને ટીમો ODI ફોર્મેટમાં આમને સામને થઈ શકી નથી.
વિશ્વભરના ચાહકોને છે ભારત-પાક. મુકાબલાની રાહ
વિશ્વભરના ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રાહ જોઈ રહ્યા છે. હવે આ બંને ટીમો વર્લ્ડ કપમાં આમને-સામને થશે. 'ઈન્ડિયન એક્સપ્રેસ' માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર સ્ટેડિયમમાં રમાઈ શકે છે. આ સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસી શકે છે. બીસીસીઆઈ આ અંગે ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે.
ક્યારે શરૂ થશે ટુર્નામેન્ટ
અહેવાલો અનુસાર, ODI વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે અને ટૂર્નામેન્ટની અંતિમ મેચ નવેમ્બરમાં રમાશે. આ માટે અનેક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ, મુંબઈ, દિલ્હી, લખનઉ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની તમામ મેચ ચેન્નાઈ, બેંગ્લોર અને કોલકાતામાં રમાઈ શકે છે.
ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપમાં છેલ્લે ક્યારે થઈ હતી ટક્કર
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી ODI મેચ રમાઈ હતી. ભારતે ડકવર્થ લુઈસના નિયમ અનુસાર આ મેચ 89 રને જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 336 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાન સામે 40 ઓવરમાં માત્ર 212 રન જ થયા હતા. વરસાદના કારણે તેમને 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 140 રનની યાદગાર ઇનિંગ રમી હતી.
આ પણ વાંચોઃ
IPL Records: આઈપીએલમાં ભુવનેશ્વર કુમારના નામે નોંધાયેલો છે આ અનોખો રેકોર્ડ, જાણો આઈપીએલના રેકોર્ડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)