શોધખોળ કરો

India vs West Indies: ત્રીજી વન ડેમાં ટીમ ઈન્ડિયા કરશે એક્સપેરિમેન્ટ, આ ખેલાડીઓને મળી શકે છે મોકો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં સાંજે 7 વાગ્યે રમાશે. આ વનડે શ્રેણી જીતીને ટીમ ઈન્ડિયા પહેલાથી જ 2-0થી આગળ છે.

India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં સાંજે 7 વાગ્યે રમાશે. આ વનડે શ્રેણી જીતીને ટીમ ઈન્ડિયા પહેલાથી જ 2-0થી આગળ છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા પર કોઈ દબાણ નહીં હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરીને એક્સપેરિમેન્ટ કરી શકે છે.

ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં મોટા ફેરફાર કરશે

આ શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે ફોર્મેટમાં સતત 12મી સિરીઝ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ કોઈ એક ટીમનું કોઈ એક વિરોધી ટીમ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય કોચ રાહુલ દ્રવિડ આ મેચમાં કેટલાક નવા ખેલાડીઓને અજમાવી શકે છે, પરંતુ તે જીતની ગતિ જાળવી રાખવા માટે ટીમનું સંતુલન જાળવવાનો આગ્રહ રાખશે.

આ ખેલાડીઓને તક મળી શકે છે

બેટિંગ વિભાગમાં ઋતુરાજ ગાયકવાડને શુભમન ગિલ કરતાં પ્રાધાન્ય મળવાની શક્યતા ઓછી છે. શુભમન ગિલે છેલ્લી બે મેચમાં 64 અને 43 રનની બે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ઋતુરાજ ગાયકવાડને સાઉથ આફ્રિકા સામેની આખી સિરીઝમાં રમવાની તક મળી હતી, જેમાં તે ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

શ્રેયસ અય્યર અને સંજુ સેમસને પણ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં નિષ્ફળતા મળી હોવા છતાં તેના આગળના ફોર્મના આધારે બીજી તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઈશાન કિશનને બહાર બેસવું પડશે. આ શ્રેણી માટે શિખર ધવનની સાથે રવિન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે ઓલરાઉન્ડર તરીકે પ્રથમ પસંદગી હતો, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે પ્રથમ બે મેચો રમી શક્યો નહોતો.

અક્ષર પટેલના આ પ્રદર્શનને ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી

જાડેજા ત્રીજી મેચમાં રમવા માટે ઉપલબ્ધ થશે કે કેમ તે પણ નિશ્ચિત નથી. તો બીજી તરફ તેની ગેરહાજરીમાં અક્ષર પટેલે બીજી મેચમાં અણનમ 64 રન બનાવી ભારતને જીત અપાવી હતી. પટેલના આ પ્રદર્શનને ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી.

આવેશને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળે તેવી શક્યતા

આવેશ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પાસે એક પ્રકારની બોલિંગ સ્ટાઈલ છે અને તેથી, તેમાંથી માત્ર એક જ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. જ્યાં સુધી વેસ્ટ ઈન્ડિઝનો સવાલ છે, તેમની પાસે ક્ષમતા છે, પરંતુ તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેણે અત્યાર સુધી શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અથવા રોમેરો શેફર્ડ પર આધાર રાખ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમે અત્યાર સુધી નિર્ણાયક પ્રસંગોમાં સારું પ્રદર્શન કર્યું નથી. સિરીઝની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ જેસન હોલ્ડરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. 

બે સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના

જો ધવન બે ડાબા હાથના સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના બનાવે છે, તો યુઝવેન્દ્ર ચહલને બહાર બેસવું પડી શકે છે, પરંતુ તેનાથી ભારતીય બોલિંગમાં વિવિધતાનો અભાવ જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઈંગ્લેન્ડમાં વન-ડે દરમિયાન જાંઘના સ્નાયુમાં તકલીફ થઈ હતી પરંતુ હવે તે ફિટ છે અને ડાબોડી ફાસ્ટ બોલર હોવાના કારણે તેને આવેશ ખાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આવશે બીજી વનડેમાં છ ઓવરમાં 54 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ પણ મળી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?

વિડિઓઝ

Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર
Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર
CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
Embed widget