શોધખોળ કરો

India vs West Indies: ત્રીજી વન ડેમાં ટીમ ઈન્ડિયા કરશે એક્સપેરિમેન્ટ, આ ખેલાડીઓને મળી શકે છે મોકો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં સાંજે 7 વાગ્યે રમાશે. આ વનડે શ્રેણી જીતીને ટીમ ઈન્ડિયા પહેલાથી જ 2-0થી આગળ છે.

India vs West Indies: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની વન ડે સિરીઝની ત્રીજી મેચ આવતીકાલે એટલે કે 27 જુલાઈના રોજ પોર્ટ ઓફ સ્પેનમાં સાંજે 7 વાગ્યે રમાશે. આ વનડે શ્રેણી જીતીને ટીમ ઈન્ડિયા પહેલાથી જ 2-0થી આગળ છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા પર કોઈ દબાણ નહીં હોય. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરીને એક્સપેરિમેન્ટ કરી શકે છે.

ટીમ ઈન્ડિયા ત્રીજી વનડેમાં મોટા ફેરફાર કરશે

આ શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે ફોર્મેટમાં સતત 12મી સિરીઝ જીતીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ કોઈ એક ટીમનું કોઈ એક વિરોધી ટીમ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતીય કોચ રાહુલ દ્રવિડ આ મેચમાં કેટલાક નવા ખેલાડીઓને અજમાવી શકે છે, પરંતુ તે જીતની ગતિ જાળવી રાખવા માટે ટીમનું સંતુલન જાળવવાનો આગ્રહ રાખશે.

આ ખેલાડીઓને તક મળી શકે છે

બેટિંગ વિભાગમાં ઋતુરાજ ગાયકવાડને શુભમન ગિલ કરતાં પ્રાધાન્ય મળવાની શક્યતા ઓછી છે. શુભમન ગિલે છેલ્લી બે મેચમાં 64 અને 43 રનની બે ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ઋતુરાજ ગાયકવાડને સાઉથ આફ્રિકા સામેની આખી સિરીઝમાં રમવાની તક મળી હતી, જેમાં તે ફાસ્ટ બોલરો સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

શ્રેયસ અય્યર અને સંજુ સેમસને પણ છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં નિષ્ફળતા મળી હોવા છતાં તેના આગળના ફોર્મના આધારે બીજી તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ઈશાન કિશનને બહાર બેસવું પડશે. આ શ્રેણી માટે શિખર ધવનની સાથે રવિન્દ્ર જાડેજાને વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તે ઓલરાઉન્ડર તરીકે પ્રથમ પસંદગી હતો, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તે પ્રથમ બે મેચો રમી શક્યો નહોતો.

અક્ષર પટેલના આ પ્રદર્શનને ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી

જાડેજા ત્રીજી મેચમાં રમવા માટે ઉપલબ્ધ થશે કે કેમ તે પણ નિશ્ચિત નથી. તો બીજી તરફ તેની ગેરહાજરીમાં અક્ષર પટેલે બીજી મેચમાં અણનમ 64 રન બનાવી ભારતને જીત અપાવી હતી. પટેલના આ પ્રદર્શનને ટીમ મેનેજમેન્ટ અવગણી શકે તેમ નથી.

આવેશને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળે તેવી શક્યતા

આવેશ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પાસે એક પ્રકારની બોલિંગ સ્ટાઈલ છે અને તેથી, તેમાંથી માત્ર એક જ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે. જ્યાં સુધી વેસ્ટ ઈન્ડિઝનો સવાલ છે, તેમની પાસે ક્ષમતા છે, પરંતુ તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેણે અત્યાર સુધી શાઈ હોપ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અથવા રોમેરો શેફર્ડ પર આધાર રાખ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ટીમે અત્યાર સુધી નિર્ણાયક પ્રસંગોમાં સારું પ્રદર્શન કર્યું નથી. સિરીઝની છેલ્લી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ જેસન હોલ્ડરને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. 

બે સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના

જો ધવન બે ડાબા હાથના સ્પિનરોને મેદાનમાં ઉતારવાની યોજના બનાવે છે, તો યુઝવેન્દ્ર ચહલને બહાર બેસવું પડી શકે છે, પરંતુ તેનાથી ભારતીય બોલિંગમાં વિવિધતાનો અભાવ જોવા મળી શકે છે. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ઈંગ્લેન્ડમાં વન-ડે દરમિયાન જાંઘના સ્નાયુમાં તકલીફ થઈ હતી પરંતુ હવે તે ફિટ છે અને ડાબોડી ફાસ્ટ બોલર હોવાના કારણે તેને આવેશ ખાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આવશે બીજી વનડેમાં છ ઓવરમાં 54 રન આપ્યા હતા અને તેને કોઈ વિકેટ પણ મળી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ત્રીજી T20 માં મચાવી ધમાલ, સદી ચૂક્યો પરંતુ રચી દીધો નવો ઈતિહાસ
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

વિડિઓઝ

Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
Embed widget