શોધખોળ કરો

ICC World Cup 2023 Final: વર્લ્ડકપ ફાઇનલને લઈ રેલવે દોડવશે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત

સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ 19 નવેમ્બરે ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

Special Train: વિશ્વ કપનો ક્રેઝ દેશભરમાં પ્રવર્તી રહ્યો છે. 19 નવેમ્બર (રવિવાર)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે. આ વખતે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને સેમિફાઇનલ સુધી 10 મેચ જીતી છે, જેમાં તેણે પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને પણ હરાવી છે.

આ કારણે સમગ્ર દેશમાં આશા છે કે વર્લ્ડ કપ ભારતમાં આવશે. અમદાવાદમાં યોજાનારી ફાઈનલ મેચ પહેલા શહેરની તમામ હોટલો ભરાઈ ગઈ છે અને વાહનવ્યવહાર પણ મોંઘો થઈ ગયો છે.

પીએમ મોદી પણ સ્ટેડિયમમાં મેચ નિહાળશે

4 વર્ષ પછી યોજાનારી આ મહાન મેચમાં પીએમ નરેન્દ્ર મોદી પોતે તેમના નામે બનેલા આ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શાનદાર મેચ નિહાળશે. આવી સ્થિતિમાં દૂર-દૂરથી ભારતીય ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે, પરંતુ ટિકિટ મળી રહી નથી. આવી સ્થિતિમાં અમદાવાદ ક્રિકેટ જોવા જતા લોકોને મધ્ય રેલવેએ મોટી ભેટ આપી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

બે વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન દોડશે

સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ 19 નવેમ્બરે ફાઇનલ ક્રિકેટ મેચ માટે બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ એક્સપ્રેસ (01153) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈથી 18મી નવેમ્બર (શનિવાર) ના રોજ રાત્રે 10.30 વાગ્યે અમદાવાદ, ગુજરાત માટે ઉપડશે અને રવિવારે સવારે 6.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરંતુ ટ્રેન દાદર, થાણે, વસઈ સુરત અને વડોદરા ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં મુસાફરી કરતા ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચ્યા બાદ આરામથી મેચ નિહાળી શકશે. તે પછી, પરત ફરવા માટે, અમદાવાદ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ એક્સપ્રેસ (01154) 19-20 નવેમ્બર (સોમવારે) રાત્રે 01.44 કલાકે મુંબઈ માટે રવાના થશે, જે સવારે 10.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.

તેવી જ રીતે મધ્ય રેલવેએ પણ બીજી ટ્રેનની જાહેરાત કરી છે. બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ વિશેષ ટ્રેન (09011) બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને 18મી નવેમ્બર (શનિવાર)ના રોજ અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રાત્રે 11.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે (19 નવેમ્બર) સવારે 07.20 કલાકે અમદાવાદ પહોંચશે. માનવામાં આવે છે કે રેલવેની આ પહેલને કારણે ક્રિકેટ નિહાળનારાઓને મોટી રાહત મળી શકે છે.

IND vs AUS Final: પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ, અંબાણી, અદાણી અને બોલિવૂડ સ્ટાર્સ, આ છે વર્લ્ડકપ ફાઇનલનું ગેસ્ટ લિસ્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS Live Score: ભારતને પ્રથમ સફળતા, શમીએ કોનોલીને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો
IND vs AUS Live Score: ભારતને પ્રથમ સફળતા, શમીએ કોનોલીને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminarayan Sadhu Controversial Statement : જ્ઞાનપ્રકાશ સ્વામીને ઘરે બેસાડી દો, ગિરીશ કોટેચા લાલઘૂમMansukh Vasava: સાંસદ મનસુખ વસાવાની જનતા રેડ, સરપંચ સાથે કેમ થઈ ગઈ બબાલ?Swaminarayan Sadhu Controversial Statement : વીરપુર 2 દિવસ બંધ | સ્વામિનારાયણ સાધુને અલ્ટીમેટમShare Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS Live Score: ભારતને પ્રથમ સફળતા, શમીએ કોનોલીને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો
IND vs AUS Live Score: ભારતને પ્રથમ સફળતા, શમીએ કોનોલીને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
Meeting For UCC:  UCCને લઈ  મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે  પ્રથમ બેઠક
Meeting For UCC: UCCને લઈ મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે પ્રથમ બેઠક
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Embed widget