શોધખોળ કરો

ત્રીજી ટી20 મેચમાં આ તોફાની બેટ્સમેનની ટીમ ઇન્ડિયામાં થશે વાપસી, જાણો વિગતે

ત્રીજી ટી20 માટે રોહિત શર્માની વાપસી લગભગ નક્કી છે, ત્યારે ઓપનિંગમાં રોહિતની સાથે કયો બેટ્સમેન ઇનિંગની શરૂઆત કરશે તે જોવાનુ રહ્યું.

અમદાવાદઃ બીજી ટી20માં ધમાકેદાર જીત બાદ હવે સીરીઝમાં ભારત અને ઇંગ્લેન્ડ બન્ને ટીમો 1-1ની બરાબરી પર પહોંચી ચૂકી છે. હવે બાકીની ત્રણેય ટી20 પણ જીતીને ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જમાવવા માંગે છે. ત્યારે રિપોર્ટ છે કે ત્રીજી ટી20માં ફરી એકવાર મેદાન પર ભારતીય ટીમના તોફાની બેટ્સમેન રોહિત શર્માની વાપસી થવાની છે. ઉલ્લેખનીય છે કે પાંચ ટી20 મેચોની સીરીઝમાં પ્રથમ બે ટી20માંથી રોહિત શર્માને નિયમ પ્રમાણે આરામ આપવામાં આવ્યો હતો.

રોહિતની વાપસીથી ફરી એકવાર ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી દમદાર અને મજબૂત બની જશે. રોહિતની ગેરહાજરીમાં કોહલી એન્ડ ટીમ મેનેજમેન્ટે પ્રથમ ટી20માં શિખર ધવન અને કેએલ રાહુલને જવાબદારી સોંપી હતી, પરંતુ બન્ને નિષ્ફળ નિવડ્યા હતા. જ્યારે બીજી ટી20માં ધવનને બહાર રાખીને કેએલ રાહુલની સાથે ડેબ્યૂ ક્રિકેટર ઇશાન કિશનને મોકો આપવામા આવ્યો હતો. બીજી ટી20માં ફરી એકવાર કેએલ રાહુલ નિષ્ફળ નિવડ્યો જ્યારે ઇશાન કિશને શાનદાર ડેબ્યૂ ફિફ્ટી ફટાકરી છે. 

ત્રીજી ટી20 માટે રોહિત શર્માની વાપસી લગભગ નક્કી છે, ત્યારે ઓપનિંગમાં રોહિતની સાથે કયો બેટ્સમેન ઇનિંગની શરૂઆત કરશે તે જોવાનુ રહ્યું. 


ત્રીજી ટી20 મેચમાં આ તોફાની બેટ્સમેનની ટીમ ઇન્ડિયામાં થશે વાપસી, જાણો વિગતે

સહેવાગે ઉઠાવ્યા સવાલો.....
એકદમ ફિટ હોવા છતાં રોહિત શર્મા પ્રથમ બે ટી20માં ટીમમાંથી બહાર રાખવાના મામલે પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલી સામે સવાલો ઉભા કર્યા હતા. જ્યારે સહેવાગને પુછવામા આવ્યુ કે રોહિતને કેમ ઓપનિંગમાંથી હટાવીને બહાર કરાયો છે, તો સહેવાગે આ નિયમની નિંદા કરી અને કેપ્ટન કોહલીને આડેહાથે લીધો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્માને આરામ આપવાના નિયમ હેઠળ ટી20 મેચોમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

ક્રિકબઝના લાઇવ શૉમાં સહેવાગ આ નિયમ પર ગિન્નાયો, સહેવાગે કહ્યું- એવુ કહેવામાં આવ્યુ કે રોહિત શર્મા એક-બે મેચ આરામ કરશે, પરંતુ શું આ નિયમ કેપ્ટન વિરાટ પર લાગુ થાય છે? એક કેપ્ટન તરીકે મને નથી લાગતુ કે તે કહેશે કે હું આગાળની બે-ત્રણ મેચમાંથી બ્રેક લઉં. જો કેપ્ટન બ્રેક નથી લઇ રહ્યો, તો તે બીજાઓને કઇ રીતે બ્રેક આપી રહ્યો છે? આ ખેલાડી પર નિર્ભર હોવુ જોઇએ.

રોહિત શર્મા આજકાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં રોહિતે જબરદસ્ત બેટિંગ કરી, આવામાં ટી20માં આરામ આપવાની વાત સમજાતી નથી. રોહિતને આરામ આપવાને લઇને સહેવાગે કહ્યું- સવાલ એ છે કે શું વિરાટ કોહલી ખુદને બ્રેક આપશે, જ્યારે રોહિત શર્મા ટીમમાં વાપસી કરશે? રોહિત, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને વિરાટ કોહલી આરામ આપે છે? પરંતુ ખુદ પર આ નિયમ લાગુ નથી થતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
આયર્લેન્ડ સામે સિરીઝ હાર્યા બાદ કેપ્ટન શ્રેયસ ઐયરનું તૂટ્યું દિલ: હાર માટે આ ખેલાડીઓને ગણાવ્યા જવાબદાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
અભિષેક શર્મા અને સંજુ સેમસન શૂન્ય રને આઉટ, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નોંધાયો શરમજનક રેકોર્ડ
અભિષેક શર્મા અને સંજુ સેમસન શૂન્ય રને આઉટ, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નોંધાયો શરમજનક રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મૃદુ દાદાનો મક્કમ નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ક્યા અટવાયું ચોમાસુ ?
Bootlegger's Dadagiri: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરની દાદાગીરી
Ambalal Patel Rain Prediction : જુલાઈમાં આ તારીખો વચ્ચે આવશે પૂર: અંબાલાલ પટેલની નવી આગાહી
Morbi Farmers Protest: મોરબીના જેતપરના આંદોલનકારી ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક
Strait of Hormuz: હુમલાઓ રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ, હોર્મુંઝ પર ચર્ચા કરવા કતારમાં થશે બેઠક
LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો
LPG e-KYCથી લઈને ITR સુધી, 2 દિવસ બાદ બદલાઈ રહ્યા છે આ નિયમો
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
FIFA વર્લ્ડકપમાં રાઉન્ડ ઓફ 32નું ચિત્ર થયું સ્પષ્ટ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમ?
FIFA વર્લ્ડકપમાં રાઉન્ડ ઓફ 32નું ચિત્ર થયું સ્પષ્ટ, જાણી લો સંપૂર્ણ કાર્યક્રમ?
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
શ્રેયસ ઐયરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: આયર્લેન્ડે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કરી ઇતિહાસ રચ્યો
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
Pakistan: કરાંચી હુમલા બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં કરી એરસ્ટ્રાઈક, 35 લોકોના મોત
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું: T20 વર્લ્ડ કપમાંથી ટીમ ઈન્ડિયા બહાર, ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હાર
PM Modi Award: PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, બંન્ને દેશો વચ્ચે થયા 19 મહત્વના કરાર
PM Modi Award: PM મોદીને સેશેલ્સનું સર્વોચ્ચ સન્માન, બંન્ને દેશો વચ્ચે થયા 19 મહત્વના કરાર
Embed widget