શોધખોળ કરો

IND vs NED: હાર બાદ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સનું મોટું નિવેદન, ‘ભારત આવીને....’

T20 વર્લ્ડ કપ 2026 માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે 17 રનથી હાર્યા બાદ નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ભારતીય બેટ્સમેનોની પ્રશંસા કરી. જાણો તેમણે શું કહ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

બુધવારે અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026 ની અત્યંત રોમાંચક મેચમાં યજમાન ભારતીય ક્રિકેટ ટીમે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી છે. આ હાર સાથે જ નેધરલેન્ડ્સની ટીમનું વર્લ્ડ કપનું અભિયાન સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. મેચ પૂરી થયા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે પોતાની ટીમની હાર સ્વીકારતા એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે ભારતીય બેટ્સમેનોની આક્રમક રમત અને વિસ્ફોટક ફાયરપાવરના દિલ ખોલીને વખાણ કર્યા હતા.

આર્યન દત્તની બોલિંગ અને શરૂઆતનો દબદબો

આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 193 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ આકરી લડત આપવા છતાં 20 ઓવરમાં 7 વિકેટે 176 રન જ બનાવી શકી હતી.

પોતાના બોલરોના પ્રદર્શન વિશે વાત કરતા કેપ્ટન એડવર્ડ્સે સ્પિનર આર્યન દત્તની વિશેષ પ્રશંસા કરી હતી. આર્યને પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 19 રન આપીને 2 કિંમતી વિકેટ ઝડપી હતી. કેપ્ટને કહ્યું, "અમે શરૂઆતમાં જબરદસ્ત બોલિંગ કરી હતી. આનો સંપૂર્ણ શ્રેય આર્યન દત્તને જાય છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી અમારા માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે ભારતીય બેટ્સમેનોને રન બનાવવા માટે જોરદાર પડકાર ફેંક્યો હતો, અને એક સમયે અમને લાગી રહ્યું હતું કે અમે આ મેચમાં સંપૂર્ણપણે પકડ બનાવી લીધી છે."

ભારતીય બેટ્સમેનોની ફાયરપાવર સામે ઝૂકવું પડ્યું

એક સમયે ભારતીય ટીમે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને માત્ર 118 રન જ બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ મેદાન પર જે તબાહી મચાવી, તેણે મેચનું ચિત્ર બદલી નાખ્યું.

આ વિસ્ફોટક બેટિંગ અંગે સ્કોટ એડવર્ડ્સે સ્વીકાર્યું કે, "અમે સારી રીતે જાણતા હતા કે ભારતીય બેટિંગ લાઇન અપમાં કેટલી જબરદસ્ત તાકાત અને ફાયરપાવર રહેલી છે. તેથી, પ્રથમ 14 15 ઓવર સુધી તેમને મોટા શોર્ટ્સ રમતા રોકી રાખવા તે અમારા માટે ખરેખર એક મોટી ઉપલબ્ધિ હતી. પરંતુ અમારાથી ફિલ્ડિંગમાં કેટલીક મોટી ભૂલો થઈ, અમે મહત્વના કેચ છોડ્યા. જ્યારે તમે આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓને જીવતદાન આપો છો, ત્યારે તમારે તેની ભારે કિંમત ચૂકવવી પડે છે. તેઓએ 16મી ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી, એટલે કે તેમની પાસે અંતિમ ઓવરો માટે પૂરતી વિકેટો બાકી હતી, અને પરિણામે તેઓ છેલ્લી કેટલીક ઓવરોમાં ખૂબ જ ઝડપથી સ્કોર કરી ગયા."

'ભારતમાં રમવાથી ઘણું શીખવા મળે છે'

નેધરલેન્ડ્સે આ 2026 ના T20 વર્લ્ડ કપમાં કુલ 4 મેચો રમી હતી, જેમાંથી માત્ર 1 માં તેમને જીત મળી હતી. તેઓ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાયા છે.

પોતાના વર્લ્ડ કપના અનુભવને શેર કરતા કેપ્ટને અંતમાં જણાવ્યું કે, "ભારતની ધરતી પર આવીને ક્રિકેટ રમવાથી તમને હંમેશા કંઈક નવું શીખવા મળે છે. અહીંની પરિસ્થિતિઓ અમારા દેશ કરતા સાવ અલગ છે. અહીં મેદાન પ્રમાણમાં નાના છે, બેટિંગ માટે વિકેટો એકદમ સરળ અને સપાટ હોય છે, અને દર્શકોની વિશાળ ભીડ વચ્ચેનું વાતાવરણ અદભુત હોય છે. એક ટીમ તરીકે અમે ઘણા તબક્કામાં શાનદાર ક્રિકેટ રમી, પરંતુ મોટી અને નિર્ણાયક ક્ષણોમાં અમે દબાણ સહન કરવામાં નિષ્ફળ ગયા. જ્યારે તમે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં માત્ર 4 મેચ રમતા હોવ, ત્યારે મળતી તકોનો યોગ્ય લાભ ઉઠાવવો ખૂબ જ જરૂરી બની જાય છે."

Frequently Asked Questions

T20 વર્લ્ડ કપ 2026 ની મેચમાં કઈ ટીમો વચ્ચે રમાઈ હતી અને તેનું પરિણામ શું આવ્યું?

T20 વર્લ્ડ કપ 2026 ની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાઈ હતી. ભારતે આ મેચ 17 રનથી જીતી હતી.

નેધરલેન્ડ્સના કેપ્ટને ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન વિશે શું કહ્યું?

નેધરલેન્ડ્સના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ભારતીય બેટ્સમેનોની આક્રમક રમત અને વિસ્ફોટક ફાયરપાવરના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય બેટ્સમેનોએ અંતિમ ઓવરોમાં ખૂબ જ ઝડપથી સ્કોર બનાવ્યો.

નેધરલેન્ડ્સના બોલર આર્યન દત્ત વિશે કેપ્ટને શું કહ્યું?

કેપ્ટન એડવર્ડ્સે સ્પિનર આર્યન દત્તની ખાસ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આર્યને શરૂઆતમાં જબરદસ્ત બોલિંગ કરી અને ભારતીય બેટ્સમેનોને જોરદાર પડકાર ફેંક્યો હતો.

ભારતની બેટિંગ દરમિયાન નેધરલેન્ડ્સની ફિલ્ડિંગમાં શું ખામી રહી?

કેપ્ટને સ્વીકાર્યું કે ફિલ્ડિંગમાં કેટલીક મોટી ભૂલો થઈ અને મહત્વના કેચ છોડવામાં આવ્યા. આવા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓને જીવતદાન આપવાની ભારે કિંમત ચૂકવવી પડી.

ભારતમાં ક્રિકેટ રમવાના અનુભવ વિશે કેપ્ટને શું જણાવ્યું?

કેપ્ટને કહ્યું કે ભારતની ધરતી પર ક્રિકેટ રમવાથી ઘણું શીખવા મળે છે. અહીંના મેદાન, વિકેટ અને દર્શકોનું વાતાવરણ અદભુત હોય છે, જોકે મોટી ક્ષણોમાં દબાણ સહન કરવું પડ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
શું વિરાટ-રોહિતની મિત્રતા ખતમ? કોહલીએ રોહિત શર્માને નકારીને આ ખેલાડીને ગણાવ્યો T20 નો બેસ્ટ ઓપનર!
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
Watch: ગર્લફ્રેન્ડ માહિકા સાથે વૈભવી કારમાં ડ્રાઇવ પર નિકળ્યો હાર્દિક, ગાડીની કિંમત PSL પ્રાઇઝ મની કરતા 3 ગણી વધારે
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
IPL 2026 મા છેલ્લી વખત રમતા જોવા મળશે 4 દિગ્ગજ ખેલાડીઓ? ટુર્નામેન્ટ બાદ લઈ શકે છે નિવૃત્તિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Embed widget