Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ થયું હતું. મંગળવારે (૪ ઓગસ્ટ) ના રોજ, વિમાન ફુકેટથી દિલ્હી આવી રહ્યું હતું ત્યારે અચાનક થોડા સમય માટે નીચે આવવા લાગ્યું. જોકે, ફરી કંટ્રોલ મેલવી લેવામાં આવ્યો હતો. ફ્લાઈટ AI-2379 માં ટર્બ્યુલન્સના કારણે કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા.
એરલાઈન અનુસાર, વિમાન દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે કોઈને ગંભીર ઈજા થઈ નથી. જોકે, કેટલાક મુસાફરો અને ક્રૂ સભ્યોને નાની ઈજાઓ થઈ હતી. સાવચેતી રૂપે, તેમને એરપોર્ટ મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એર ઈન્ડિયાની મેડિકલ ટીમ તેમની સંભાળ રાખી રહી છે.
ફુકેટથી આવતી ફ્લાઈટમાં 134 મુસાફરો હતા. એરલાઈન સૂત્રો કહે છે કે એર ઈન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઈટ AI-2379 દિલ્હીમાં ઉતરવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક ટર્બ્યુલન્સનો ભોગ બની હતી. સ્વચ્છ હવાનું તોફાન એ અચાનક ઉદ્ભવતું તોફાન છે જે સ્વચ્છ આકાશમાં થાય છે. તેમાં વાદળો, વરસાદ કે તોફાનનો સમાવેશ થતો નથી, જેના કારણે પાઇલટ માટે અગાઉથી તેને ઓળખવું મુશ્કેલ બને છે.



















