શોધખોળ કરો

T-20 વર્લ્ડ કપઃ ભારતે સેમી ફાઈનલમાં પહોંચવા અત્યાર સુધી T-20 વર્લ્ડ કપમાં જેને નથી હરાવી એ ટીમને હરાવવી પડશે, જાણો વિગત

ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા આજ સુધી ન્યુઝીલેન્ડ સામે જીતી શકી નથી. બંને ટીમો અત્યાર સુધીમાં બે વખત સામસામે આવી ચુકી છે, પરંતુ બંને વખત કીવી ટીમે મેચ જીતી છે.

T20 વર્લ્ડ કપ 2021માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ ઘણી મહત્વની બની ગઈ છે. 31 ઓક્ટોબરની રાત્રે, આ મેચમાં જે પણ ટીમ હારી જાય તેની ટુર્નામેન્ટમાં સફર લગભગ સમાપ્ત થઈ જશે. બંને ટીમોને પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને પાકિસ્તાનના હાથે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ન્યુઝીલેન્ડનું કામ પણ બાબર આઝમની ટીમે ખરાબ કર્યું હતું. સેમીફાઈનલની આશા જીવંત રાખવા માટે ટીમ ઈન્ડિયાએ કિવી ટીમને કોઈપણ ભોગે હરાવવી પડશે, પરંતુ આ માટે વિરાટ કોહલી એન્ડ કંપનીએ ઈતિહાસ બદલવો પડશે, જેમ પાકિસ્તાને ભારત સામે બદલ્યો.

ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયા આજ સુધી ન્યુઝીલેન્ડ સામે જીતી શકી નથી. બંને ટીમો અત્યાર સુધીમાં બે વખત સામસામે આવી ચુકી છે, પરંતુ બંને વખત કીવી ટીમે મેચ જીતી છે. પ્રથમ મુકાબલો 2007 T20 વર્લ્ડ કપમાં થયો હતો જ્યાં ન્યૂઝીલેન્ડે ભારતને 10 રને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ એકમાત્ર એવી ટીમ હતી જેણે ટૂર્નામેન્ટમાં ભારતને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ પછી 2016 T20 વર્લ્ડ કપમાં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરી હતી અને અહીં પણ કિવી ટીમે ભારતને એકતરફી રીતે 47 રનથી હરાવ્યું હતું. એટલે કે ટી-20 વર્લ્ડ કપના રેકોર્ડ પર નજર કરીએ તો વિલિયમસનની ટીમનો હાથ ભારે લાગે છે અને જો વિરાટને સેમિફાઇનલની ટિકિટ જોઈતી હોય તો 31 ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઈતિહાસ બદલવો પડશે.

માત્ર T20 વર્લ્ડ કપ જ નહીં પરંતુ ICC ઈવેન્ટ્સની દરેક મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2003માં આઈસીસી ટૂર્નામેન્ટમાં છેલ્લી વખત કિવી ટીમને હરાવ્યું હતું અને ત્યારથી ન્યૂઝીલેન્ડે ઘણી વખત ભારતનું ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું છે. 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કોહલીની સેનાને હરાવનાર ટીમ બીજું કોઈ નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ હતી. ICC વર્લ્ડ કપ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિલિયમસને તે જ વર્ષે કોહલીનું સપનું તોડી નાખ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget