શોધખોળ કરો

IND vs SL, 2nd T20: બીજી ટી20માં ભારતની શ્રીલંકા સામે 16 રનોથી હાર, સીરીઝમાં 1-1ની બરાબરી

શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે, આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી,

IND vs SL, 2nd T20: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી પુણેની બીજી ટી20માં ભારતીયી ટીમને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો છે. અંતિમ ઓવરમા ભારતીય ટીમને 21 રનની જરૂર હતી, પરંતુ 5 રન જ બનાવી શકી અને મેચમાં 5 રનોથી હાર થઇ હતી, આ સાથે જ શ્રીલંકન ટીમે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે, આ પહેલા પ્રથમ ટી20માં ભારતીય ટીમની જીત થઇ હતી, હવે બન્ને ટીમો વચ્ચે આગામી 7મી જાન્યુઆરીએ નિર્ણાયક અને ફાઇનલ મેચ રમાશે. 

શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવ્યુ
એકદમ રોમાંચક મેચમાં શ્રીલંકાએ ભારતને 16 રનોથી હરાવી દીધુ  છે. 207 રનોના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરોમાં 8 વિકેટના નુકસાને 190 રન જ બનાવી શકી, આની સાથે જ સીરીઝ 1-1થી બરાબર થઇ ગઇ છે. જોકે, એકસમયે મેચમાં આવી સ્થિતિ આવી ગઇ હતી કે ભારતીય ટીમની હાર નક્કી દેખાતી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલના તાબડતોડ બેટિંગના કારણે ભારતીયી ટીમની જીતની આશા ફરી જીવંત થઇ હતી.

સીરીઝમાં 1-1ની બરાબરી, ફાઇનલ મેચ 7મીએ
બન્ને ટીમોએ આજે બીજી ટી20માં દમદાર રમત બતાવી, જોકે, આખરમાં શ્રીલંકન ટીમે બાજી મારી લીધી અને સીરીઝમાં 1-1થી બરાબરી કરી લીધી હતી, પ્રથમ ટી20 ભારતીય ટીમે જીતી હતી, જોકે હવે બીજી ટી20 શ્રીલંકાએ જીતી લીધી છે, હવે બન્ને ટીમો આગામી ફાઇનલ મેચ માટે 7મી જાન્યુઆરીએ આમને સામને ટકરાશે.

સૂર્યા અને અક્ષરની ઇનિંગ ગઇ બેકાર -

ભારતીય ટીમ એકસમયે હારની ખુબ નજીક પહોંચી ચૂકી હતી, પરંતુ અક્ષર પટેલ અને સૂર્યકુમાર યાદવની તાબડતોડ બેટિંગે ટીમ ઇન્ડિયાને મેચમાં પાછી લાવી દીધી હતી. 

આ મેચમાં સૂર્યકુમાર યાદવે 36 બૉલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 51 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, આની સાથે અક્ષર પટેલે પણ દમદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 31 બૉલમાં 6 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે તોફાની 65 રન ફટકાર્યા હતા. જોકે, અંતે મેચમાં બન્નેની વિકેટો પડી ગયા બાદ ટીમ ઇન્ડિયાની હાર નક્કી થઇ ગઇ હતી. અંતિમ ઓવરમાં 21 રની જરૂર હતી, પરંતુ ટીમ ઇન્ડિયા માત્ર 5 રન જ બનાવી શકી અને 16 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચની વાત કરીએ તો ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટના નુકશાને 206 રન બનાવ્યા હતા, તો સામે લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા 20 ઓવરમાં 8 વિકેટો ગુમાવીને 190 રન જ બનાવી શકી હતી, આમ 16 રનોથી હારનો સામનો કરવો પડયો હતો, હવે આગામી 7મી જાન્યુઆરીએ ફાઇનલ ટી20 મેચ રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget