શોધખોળ કરો

IND vs SL: પ્રથમ વનડેમાં હાર બાદ નિરાશ છે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા, જાણો શું કહ્યું?

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી.

IND vs SL 1st ODI: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ODI શ્રેણીની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 67 રનથી જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા ભારતીય ટીમે બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. રનનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 306 રન જ બનાવી શકી હતી. જેમાં ટીમના કેપ્ટન દાસુન શનાકાએ સદી ફટકારી હતી અને તે અણનમ પરત ફર્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. મેચ પછી, શનાકાએ તે ભૂલો પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે તે અને ટીમ ક્યાં ચૂકી છે.

મેચ બાદ બોલતા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કહ્યું, “મને લાગે છે કે તેમના ઓપનરોએ અમને જે શરૂઆત આપી હતી, અમે નવા બોલનો સારી રીતે ઉપયોગ કર્યો ન હતો, જે રીતે તેમના બોલરોએ તેને સ્વિંગ કર્યો હતો. અમારી પાસે યોજના હતી, પરંતુ બોલરોએ મૂળભૂત બાબતોને યોગ્ય રીતે અમલમાં મૂકી ન હતી. અમે પ્રથમ 10 ઓવર દરમિયાન બેટિંગમાં વેરિએશન ઉપયોગ કર્યો ન હતો. મને લાગે છે કે હું મૂળભૂત બાબતો બરાબર કરી રહ્યો હતો.મને લાગે છે કે મારે ટી20 અંતરરાષ્ટ્રીમાં ઉપર બેટિંગ કરવી જોઈએ, પરંતુ ટીમને પાંચ નંબરવાળા ભાનુકા સાથે છઠ્ઠા નંબર પર મારી જરુર હતી.

સદી કામ ન આવી

ઉલ્લેખનીય છે કે આ મેચમાં કેપ્ટન દાસુન શનાકાએ સદીની ઇનિંગ રમી હતી. તેણે 88 બોલમાં અણનમ 108 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 12 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. જોકે તેની અણનમ ઇનિંગ ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહી હતી. તેના સિવાય ઓપનર પથુમ નિકાંસાએ 72 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. 

ત્રણ વન ડે મેચની શ્રેણીની ગુવાહાટી ખાતે  રમાયેલી પહેલી વનડેમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 67 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 306 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે 3 વિકેટ ઝડપી હતી. 

શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ અણનમ 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેને 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત ઓપનર પથુમ નિસાન્કાએ 72 રન બનાવ્યા હતા. આમ છતાં શ્રીલંકાની ટીમને મેચમાં 67 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. દાસુન શનાકા અને પથુમ નિસાંકા ઉપરાંત ધનંજય ડી સિલ્વાએ 40 બોલમાં 47 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત શ્રીલંકાના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. ઝડપી બોલર ઉમરાન મલિક ભારત માટે સૌથી સફળ બોલર હતો. ઉમરાન મલિકે 8 ઓવરમાં 57 રનમાં 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ મોહમ્મદ સિરાજે 2 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલને 1-1 સફળતા મળી હતી. જો કે, ટીમ ઈન્ડિયા 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યુંBhavnagar News: ભાવનગરમાં  3 વર્ષમાં જ આવાસ થયા જર્જરિત, મકાનોમાં પડી મસમોટી તીરાડોGandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Champions Trophy 2025: પાકિસ્તાનના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પહેલી વાર આવ્યું બન્યું
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......
Embed widget