શોધખોળ કરો

IND vs SL: ત્રીજી વન ડેમાં ભારતની 110 રનથી હાર, 27 વર્ષ પછી શ્રીલંકાએ જીતી સીરિઝ

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન ડે કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો.

IND vs SL:  ત્રીજી વન ડેમાં શ્રીલંકાએ ભારતને 110 રનથી હાર આપી હતી. આ સાથે જ ભારતનો સીરિઝમાં 2-0થી પરાજય થયો હતો. પ્રથમ વન ડે ટાઈ થઈ હતી. બેટ્સમેનોના શાનદાર પ્રદર્શન બાદ શ્રીલંકાએ ડ્યુનિથ વેલાલાગેના નેતૃત્વમાં બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ત્રીજી વનડેમાં ભારતને 2-0થી હરાવીને શ્રેણી જીતી લીધી હતી. 1997 પછી આ પ્રથમ વખત છે જ્યારે ભારત શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી ગયું હોય. શ્રીલંકાએ છેલ્લે 1997માં અર્જુન રણતુંગાની કપ્તાનીમાં ભારતને 3-0થી હરાવ્યું હતું. ત્યારથી  ભારતે સતત 11 વખત વનડે શ્રેણી જીતી હતી, પરંતુ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ આ રેકોર્ડ જાળવી શકી ન હતી અને 27 વર્ષ પછી શ્રીલંકા સામે વનડે શ્રેણી ગુમાવવી પડી હતી. આ સાથે જ ભારતનો શ્રીલંકા પ્રવાસ ખતમ થઈ ગયો છે. આ પ્રવાસ પર ભારતે ટી20 શ્રેણી 3-0થી જીતી હતી, પરંતુ ભારતીય ટીમ વનડે શ્રેણીમાં આ ગતિ જાળવી શકી ન હતી.

138 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ ટીમ ઈન્ડિયા

શ્રીલંકાએ વનડે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતને 110 રને હરાવ્યું હતું. આ જીત સાથે તેણે શ્રેણી પર પણ કબ્જો કરી લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 248 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયા 138 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી રોહિત શર્માએ 35 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 15 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 96 રનની ઇનિંગ રમી હતી. કુસલ મેન્ડિસે 59 રનનું યોગદાન આપ્યું હતું. પથુમ નિસાન્કાએ 45 રનની ઇનિંગ રમી હતી

શ્રીલંકાએ બનાવ્યા હતા 248 રન

અવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસની શાનદાર અડધી સદીની મદદથી શ્રીલંકાએ ત્રીજી વનડેમાં ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 50 ઓવરમાં સાત વિકેટે 248 રન બનાવ્યા હતા. ભારત તરફથી પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રિયાન પરાગે 54 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શ્રીલંકા માટે પથુમ નિસાંકા અને ફર્નાન્ડોએ પ્રથમ વિકેટ માટે 89 રનની ભાગીદારી કરી હતી. જોકે, ફર્નાન્ડો સદી ચૂકી ગયો હતો અને 96 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં કામિન્દુ મેન્ડિસે 19 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી.

 શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની ત્રીજી વનડે માટે ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કેએલ રાહુલ અને અર્શદીપસિંહને બહાર કરીને તેણે રિષભ પંત અને રિયાન પરાગને તક આપી છે.

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઋષભ પંત, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, શ્રેયસ અય્યર, શિવમ દુબે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Sabarkantha: પશુપાલકો સામે ઝુક્યા સાબર ડેરીના સત્તાધીશો, જાણો ભાવ વધારા અંગે શું આપી બાહેંધરી
Sabarkantha: પશુપાલકો સામે ઝુક્યા સાબર ડેરીના સત્તાધીશો, જાણો ભાવ વધારા અંગે શું આપી બાહેંધરી
Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લામાં 51.09 ટકા જેટલો વરસાદ
Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લામાં 51.09 ટકા જેટલો વરસાદ
કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, PM ધન-ધન્ય કૃષિ યોજના પર ખર્ચ કરશે 24 હજાર કરોડ; ગ્રીન એનર્જી પર પણ મોટો નિર્ણય
કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, PM ધન-ધન્ય કૃષિ યોજના પર ખર્ચ કરશે 24 હજાર કરોડ; ગ્રીન એનર્જી પર પણ મોટો નિર્ણય
Operation Sindoor: CDS જનરલ અનિલ ચૌહાણની ટકોર, આજનું યુદ્ધ ગઈકાલના શસ્ત્રોથી જીતી શકાતું નથી
Operation Sindoor: CDS જનરલ અનિલ ચૌહાણની ટકોર, આજનું યુદ્ધ ગઈકાલના શસ્ત્રોથી જીતી શકાતું નથી
Advertisement

વિડિઓઝ

Bhavnagar BJP Controversy: મુકેશ લંગાળીયા અને શંભુનાથ ટુંડીયાનો વિવાદ પહોંચ્યો હાઈકમાંડ સુધી
Bhavnagar Scuffle : ભાવનગરમાં ભાજપ નેતાની મારામારી, વીડિયો થયો વાયરલ
MLA Gopal Italia First Reaction: લોકો આ ઐતિહાસિક ઘટનાક્રમને ઉત્સુકતાથી જોઈ રહ્યા છે
Rajkot Accident : રાજકોટમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત , પરિવારનું હૈયાફાટ રૂદન
surat Teacher Suicide Case: ખાનગી ટ્યુશનની શિક્ષીકાના આપઘાતથી પાટીદાર સમાજમાં ભારે રોષ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sabarkantha: પશુપાલકો સામે ઝુક્યા સાબર ડેરીના સત્તાધીશો, જાણો ભાવ વધારા અંગે શું આપી બાહેંધરી
Sabarkantha: પશુપાલકો સામે ઝુક્યા સાબર ડેરીના સત્તાધીશો, જાણો ભાવ વધારા અંગે શું આપી બાહેંધરી
Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લામાં 51.09 ટકા જેટલો વરસાદ
Gujarat Rain: છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લામાં 51.09 ટકા જેટલો વરસાદ
કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, PM ધન-ધન્ય કૃષિ યોજના પર ખર્ચ કરશે 24 હજાર કરોડ; ગ્રીન એનર્જી પર પણ મોટો નિર્ણય
કેન્દ્ર સરકારની ખેડૂતોને ભેટ, PM ધન-ધન્ય કૃષિ યોજના પર ખર્ચ કરશે 24 હજાર કરોડ; ગ્રીન એનર્જી પર પણ મોટો નિર્ણય
Operation Sindoor: CDS જનરલ અનિલ ચૌહાણની ટકોર, આજનું યુદ્ધ ગઈકાલના શસ્ત્રોથી જીતી શકાતું નથી
Operation Sindoor: CDS જનરલ અનિલ ચૌહાણની ટકોર, આજનું યુદ્ધ ગઈકાલના શસ્ત્રોથી જીતી શકાતું નથી
પહેલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો, કહ્યું- પહેલા આતંકીઓએ લોકોને ગોળી મારી અને પછી...
પહેલગામ હુમલાના પ્રત્યક્ષદર્શીનો મોટો ખુલાસો, કહ્યું- પહેલા આતંકીઓએ લોકોને ગોળી મારી અને પછી...
Kia Carens Clavis EV: ભારતની સૌથી સસ્તી 3-રો ઇલેક્ટ્રિક MPV, આપે છે 490 KM સુધીની રેન્જ, જામો કિંમત
Kia Carens Clavis EV: ભારતની સૌથી સસ્તી 3-રો ઇલેક્ટ્રિક MPV, આપે છે 490 KM સુધીની રેન્જ, જામો કિંમત
Budhwar Upay: બુધવારે આ કામ કરવાથી વિઘ્નહર્તા ગણેશજી આપે છે આશિર્વાદ
Budhwar Upay: બુધવારે આ કામ કરવાથી વિઘ્નહર્તા ગણેશજી આપે છે આશિર્વાદ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ  આજે  ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
MLA oath: ગોપાલ ઈટાલિયાએ આજે ધારાસભ્ય પદના લીધા શપથ, કહ્યું ગુજરાતની રાજનિતી માટે ઐતિહાસિક દિવસ
Embed widget