શોધખોળ કરો

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં રોહિત શર્માને નહી મળે આરામ, આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક

ટીમ ઈન્ડિયા આવતા મહિને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે

ટીમ ઈન્ડિયા આવતા મહિને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરિઝ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જૂલાઈથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ શ્રેણીમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.

આ પહેલા ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોહિત શર્મા સહિત ઘણા સિનિયર ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવશે. રોહિતને આરામ આપવામાં આવશે અને તેની જગ્યાએ કોઈ અન્ય ટીમનું નેતૃત્વ કરશે. જોકે, હવે BCCIના એક વરિષ્ઠ અધિકારીએ આ અહેવાલોને ફગાવી દીધા છે.

રાહુલ, બુમરાહ અને ઐય્યર સીરિઝમાં રમશે નહી

ઈજાગ્રસ્ત કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ અને શ્રેયસ ઐય્યર વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. જો કે ચેતેશ્વર પૂજારાને પણ બહાર કરવામાં આવે તેવી શક્યતા છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ ઈન્સાઈડસ્પોર્ટને જણાવ્યું હતું કે, "રોહિત શર્મા ફિટ છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે. તેને ઘણો સમય આરામ મળ્યો છે. તેથી વર્કલોડ મેનેજમેન્ટ અંગે કોઈ ચિંતા નથી. તે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં નેતૃત્વ કરશે."

સરફરાઝ અને મુકેશને તક મળશે

સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનાર મુંબઈના સરફરાઝ ખાનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં તક મળી શકે છે. સરફરાઝ ઉપરાંત ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે. જો કે, મુકેશ અગાઉ પણ ટીમમાં જોડાઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી.

હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી કરી શકે છે

પસંદગીકારો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટેસ્ટ ટીમમાં પરત લાવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે તેનો અંતિમ નિર્ણય હાર્દિક પર રહેશે. જોવાનું એ રહેશે કે હાર્દિક પોતાને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે પૂરતો ફિટ માને છે કે નહીં. ઝડપી બોલર મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે.

ધોની IPLની આગામી સિઝન 2024માં રમશે કે નહીં ?

આઇપીએલની 16મી સિઝનમાં ધોનીની આગેવાની વાળી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ ચેમ્પીયન બની હતી, આ સિઝન પુરી થયા બાદ ફેન્સને આશા હતી કે, ધોની આગામી સિઝન પણ રમશે, જોકે, હવે આ મામલે મોટુ અપડેટ સામે આવ્યુ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ સાથે તમામ ક્રિકેટ પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે ધોની આગામી IPL સિઝનમાં રમતા જોવા મળશે. IPLની 16મી સિઝન પૂરી થયા બાદ હવે CSK ટીમના CEO કાશી વિશ્વનાથને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા છે. ધોની આ આખી 16મી સિઝન દરમિયાન ઘૂંટણમાં તકલીફ હોવા છતાં રમવાનું ચાલુ રાખ્યું અને ટીમને 5મી વખત ચેમ્પિયન બનાવવામાં પણ સફળ રહ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget