શોધખોળ કરો

IND vs ENG: ફક્ત એક ખેલાડીની થશે એન્ટ્રી! બીજી વન-ડેમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11

IND vs ENG:  ટી-20 શ્રેણીમાં કારમી હારનો સામનો કર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ ફોર્મમાં પાછી આવી ગઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતે પ્રથમ ODI જીતી, હવે શ્રેણી કબજે કરવા પ્રયાસ.
  • અક્ષર પટેલ અને સુંદરનું શાનદાર પ્રદર્શન, ગિલ પણ ફિટ.
  • ટીમ ઇન્ડિયા કાર્ડિફમાં બીજી ODI માટે તૈયાર.
  • સંભવિત ફેરફાર: કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન.

IND vs ENG:  ટી-20 શ્રેણીમાં કારમી હારનો સામનો કર્યા પછી ભારતીય ક્રિકેટ ટીમ ફોર્મમાં પાછી આવી ગઈ છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતને ટી-20 શ્રેણીમાં 0-4 થી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. જોકે, ટીમ ઈન્ડિયાએ ODI શ્રેણીમાં વાપસી કરી અને પ્રથમ વન-ડે મેચ જીતી હતી. તેઓ હવે ગુરુવારે કાર્ડિફ ખાતે રમાયેલી બીજી ODIમાં ઈંગ્લેન્ડ સામે શ્રેણી પર કબજો કરવાનો પ્રયાસ કરશે. ભારતે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી પ્રથમ મેચમાં એકતરફી અને શાનદાર છ વિકેટથી વિજય મેળવ્યો હતો. 

પહેલી મેચમાં શાનદાર વિજય

ઓલરાઉન્ડર અક્ષર પટેલે વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પહેલા પોતાના સ્પિનથી ચાર વિકેટ લીધી અને પછી મેચ વિજેતા અણનમ 57 રન સાથે પોતાની બેટિંગ કુશળતા દર્શાવી. અક્ષર ઉપરાંત, વોશિંગ્ટન સુંદરે પણ પોતાની વન-ડે કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી, જ્યારે કેપ્ટન શુભમન ગિલે પોતાના શાનદાર 80 રન સાથે રન ચેઝને સરળ બનાવ્યો. જોકે, કેપ્ટન શુભમન ગિલ મેચ દરમિયાન ઘાયલ થઈને મેદાન છોડીને ચાલ્યો ગયો, જેના કારણે ચાહકોમાં ચિંતા વધી ગઈ.

આ પણ વાંચોઃ શું બીજી વનડેમાં રોહિત-કોહલી નહીં રમે? કેપ્ટન શુભમન ગિલે કહ્યું - ‘અમે અલગ-અલગ કોમ્બિનેશન....’

શુભમન ગિલ રમવા માટે ફિટ છે

ભારતના કેપ્ટન શુભમન ગિલે પોતે પુષ્ટી કરી હતી કે તેની ઈજા ગંભીર નથી. મેચ દરમિયાન ભેજ અને ડિહાઇડ્રેશનને કારણે તેને પગમાં ગંભીર ખેંચાણ થઈ હતી, જેના કારણે તેને એજબેસ્ટનમાં નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. ગિલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે સંપૂર્ણપણે ફિટ છે અને કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ખાતે બીજી વનડે માટે ઉપલબ્ધ છે. તેની ફિટનેસ ભારતીય બેટિંગ ઓર્ડરને મજબૂત બનાવશે.

ટીમમાં ફેરફારની અપેક્ષા

કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ હોવાથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પાછલી મેચમાંથી વિનિંગ કોમ્બિનેશનને મેદાનમાં ઉતારશે. જોકે, ફેરફાર થવાની શક્યતા છે.

કુલદીપ યાદવનો સમાવેશ થશે

ગુરનૂર બરાર સંપૂર્ણપણે ફિટ છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર અપડેટ નથી. જો તેની ઈજા ગંભીર રહે છે તો કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે. કુલદીપને પ્રથમ વનડેમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા.

Frequently Asked Questions

શુભમન ગિલની ઈજા કેટલી ગંભીર હતી અને શું તે આગામી મેચ માટે ઉપલબ્ધ છે?

શુભમન ગિલને મેચ દરમિયાન ભેજ અને ડિહાઇડ્રેશનને કારણે પગમાં ખેંચાણ થઈ હતી. તેણે પુષ્ટિ કરી છે કે તેની ઈજા ગંભીર નથી અને તે કાર્ડિફમાં રમાનારી બીજી વનડે માટે સંપૂર્ણપણે ફિટ છે.

પ્રથમ વનડે મેચમાં ભારતનો વિજય કેવો રહ્યો અને કયા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું?

ભારતે બર્મિંગહામમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર છ વિકેટથી વિજય મેળવ્યો. અક્ષર પટેલે 4 વિકેટ અને અણનમ 57 રન બનાવ્યા, જ્યારે વોશિંગ્ટન સુંદરે પ્રથમ અડધી સદી અને શુભમન ગિલે 80 રન ફટકાર્યા.

ભારતીય ટીમે ટી-20 અને વનડે શ્રેણીમાં અત્યાર સુધી કેવું પ્રદર્શન કર્યું છે?

ભારતીય ટીમને ટી-20 શ્રેણીમાં 0-4થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ટીમે ODI શ્રેણીમાં વાપસી કરીને પ્રથમ વનડે મેચ જીતી છે.

શું બીજી વનડે માટે ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થવાની સંભાવના છે?

કેપ્ટન શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ હોવાથી જીતનું કોમ્બિનેશન જાળવી રાખવાની અપેક્ષા છે. જો ગુરનૂર બરાર ફિટ ન હોય તો કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
Embed widget