શોધખોળ કરો

IND Vs ENG: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બોલિંગ નહીં કરે હાર્દિક પંડ્યા, નટરાજનને આ કારણે ન મળ્યું ટીમમાં સ્થાન

2018માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ સીરીઝ બાદ પ્રથમ વખત હાર્દિક પંડ્યાની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.

IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝ 5 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને પણ સ્થાન અપાયુ છે. 2018માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલ સીરીઝ બાદ પ્રથમ વખત હાર્દિક પંડ્યાની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યાએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યા જોકે બોલિંગ નહીં કરે. સામે આવેલ જાણકારી અનુસાર હાર્દિક પંડ્યાને ઇંગ્લેન્ડ સીરીઝમાં બેટ્સમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને તે સીરીઝમાં બોલિંગ નહીં કરે. નટરાજનને મળ્યો આરામ ટી નટરાજન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રથમ એવો ખેલાડી બન્યો જેણે એક જ પ્રવાસ પર વનડે, ટી20 અને ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી. ખાસ વાત એ રહી કે તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર માત્ર નેટ બોલર તરીકે પસંદગી કરવામાં આવી હતી. જોકે આગામી બે ટેસ્ટ માટે તે ટીમમાં ઉપલબ્ધ હશે કે નહીં તેના વિશે કંઈ કહી ન શકાય. ઈશાંત શર્માની પણ ઇજા બાદ ટીમમાં વાપસી થઈ રહી છે. ઈશાંત શર્મા આઈપીએલમાં દિલ્હી કેપિટલ તરફથી રમતા સમયે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા. ઇજા થવાને કારણે ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટમાંથી બહાર થનાર જસપ્રીત બુમરાહ અને અશ્વિનની ટીમમાં વાપસી થઈ છે. મોહમ્મદ શમી, વિહારી, ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાને હજુ ઇજામાંથી બહાર આવતા સમય લાગશે માટે તેમને ટીમમાં સ્થાન નથી મળ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Rankings: જો રુટ ટેસ્ટનો નંબર 1 બેટ્સમેન, વનડેમાં શુભમન ગિલે મારી લાંબી છલાંગ 
ICC Rankings: જો રુટ ટેસ્ટનો નંબર 1 બેટ્સમેન, વનડેમાં શુભમન ગિલે મારી લાંબી છલાંગ 
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ સીરીઝની મેચ ક્યારે અને ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ  
IND vs IRE: ભારત અને આયર્લેન્ડ સીરીઝની મેચ ક્યારે અને ક્યાં રમાશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ  
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
Watch: ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો
ટીમ ઈન્ડિયામાં ક્યા નંબરની જર્સી પહેરશે વૈભવ સૂર્યવંશી? BCCI કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
Passport New Rules: પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી! વિદેશ મંત્રાલયે નિયમો પર કરી મોટી સ્પષ્ટતા
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
કોલકાતાના તારાતલામાં વેરહાઉસની છત તૂટી પડી: 50થી 60 લોકો ફસાયા, 5ના મોતનો દાવો
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
Embed widget