![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IND vs NZ 2nd Test:મુંબઇ ટેસ્ટમાં ભારતના બોલરોનો તરખાટ, ન્યૂઝિલેન્ડની ટીમ ફક્ત 62 રનમાં ઓલઆઉટ
ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ કીવી ટીમનો આ ન્યૂનતમ સ્કોર છે. ભારત તરફથી આર.અશ્વિન સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી.
![IND vs NZ 2nd Test:મુંબઇ ટેસ્ટમાં ભારતના બોલરોનો તરખાટ, ન્યૂઝિલેન્ડની ટીમ ફક્ત 62 રનમાં ઓલઆઉટ India vs New Zealand 2nd Test, Day 2 Live Score: Mayank, Pujara in positive start after NZ 62-all out IND vs NZ 2nd Test:મુંબઇ ટેસ્ટમાં ભારતના બોલરોનો તરખાટ, ન્યૂઝિલેન્ડની ટીમ ફક્ત 62 રનમાં ઓલઆઉટ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/04/8d7f4239483308563f3cb0dcc740757f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs New Zealand Mumbai Test: મુંબઇના વાનખેડેમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝિલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 62 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત વિરુદ્ધ કીવી ટીમનો આ ન્યૂનતમ સ્કોર છે. ભારત તરફથી આર.અશ્વિન સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત 62 રન જ બનાવી શકી હતી. આ રીતે ટીમ ઇન્ડિયાને 263 રનની લીડ મળી હતી. જોકે, કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝિલેન્ડને ફોલો ઓન આપ્યું નહોતું અને ભારતે બેટિંગ શરૂ કરી હતી.
કાનપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરનારા ન્યૂઝિલેન્ડના બંન્ને ઓપનર ટોમ લાથમ અને વિલ યંગને મોહમ્મદ સિરાજે આઉટ કર્યા હતા. યંગ 04 અને લાથમ 10 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ સિરાજે રોસ ટેલરને આઉટ કરી ન્યૂઝિલેન્ડની ટીમની ત્રીજો ઝટકો આપ્યો હતો. તે એક રન બનાવી આઉટ થયો હતો.ત્યારબાદ ન્યૂઝિલેન્ડે એક પછી એક વિકેટ ગુમાવી હતી. ભારતના બોલરો સામે એક પણ ન્યૂઝિલેન્ડનો બેટ્સમેન ટકી શક્યો નહોતો અને આખી ટીમ ફક્ત 62 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
આ અગાઉ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. એઝાઝ પટેલે ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેના રેકોર્ડની બરોબરી કરી હતી. અનિલ કુંબલેએ પાકિસ્તાન સામે 1999માં ઇનિંગની તમામ 10 વિકેટ ઝડપી હતી.
Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર
Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ
Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)