![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
IPL Retention 2021: ચેન્નઈ સુપર કિંગ્સે 4 ખેલાડીઓ રિટેન કર્યા, રવિંદ્ર જાડેજા ધોની કરતા વધારે ફી સાથે રિટેન
ચેન્નઈ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓ રિટેન કર્યા છે. ચેન્નઈએ રવિંદ્ર જાડેજાને 16 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે જ્યારે ધોનીને 12 કરોડમાં રિટેન કર્યો છે.
![IPL Retention 2021: ચેન્નઈ સુપર કિંગ્સે 4 ખેલાડીઓ રિટેન કર્યા, રવિંદ્ર જાડેજા ધોની કરતા વધારે ફી સાથે રિટેન IPL 2022 Confirmed Retained Chennai Super Kings Announced RETAINED Players IPL Retention 2021: ચેન્નઈ સુપર કિંગ્સે 4 ખેલાડીઓ રિટેન કર્યા, રવિંદ્ર જાડેજા ધોની કરતા વધારે ફી સાથે રિટેન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/65a479e62fd0c7e063256aca033b4c4d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની વર્તમાન આઠ ફ્રેન્ચાઈઝી માટે ખેલાડીઓને જાળવી રાખવાની અંતિમ તારીખ આજે (મંગળવારે) પૂરી થઈ ગઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સ જે ચાર ખેલાડીઓને રિટેન કરવા જઈ રહી છે તેની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓ રિટેન કર્યા છે. ચેન્નઈએ રવિંદ્ર જાડેજાને 16 કરોડ રુપિયામાં રિટેન કર્યો છે જ્યારે ધોનીને 12 કરોડમાં રિટેન કર્યો છે. ધોની કરતા જાડેજાને 4 કરોડ વધુમાં રિટેન કરવામાં આવ્યો છે.
પ્રથમ ખેલાડી – રવિન્દ્ર જાડેજા, 16 કરોડ રૂપિયા
અન્ય ખેલાડી- એમએસ ધોની, 12 કરોડ રૂપિયા
ત્રીજો ખેલાડી – મોઈન અલી, 8 કરોડ રૂપિયા
ચોથો ખેલાડી – ઋતુરાજ ગાયકવાડ, 6 કરોડ રૂપિયા
મોટાભાગની ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બનાવી લીધી છે અને કેટલાકના નામ પણ સામે આવવા લાગ્યા છે. આ વખતે મેગા ઓક્શન ભારતમાં જ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં યોજાશે.
IPL 2022 માટે જૂની 8 ફ્રેન્ચાઈઝી દ્વારા ખેલાડીઓની રિટેન્શનની યાદી ગર્વનિંગ કાઉન્સિલ પાસે જમા થઈ જશે. નિયમો પ્રમાણે 8 ટીમો ઓછામાં ઓછી 3 અને વધુમાં વધુ 4 ખેલાડીને રિટેન કરી શકે છે. ત્યારપછી લીગ સાથે જોડાયેલી 2 નવી ટીમો રિટેન ન થયા હોય એ ખેલાડીમાંથી નિયમો પ્રમાણે રિટેન્શન કરશે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ચોંકાવી દીધા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 16 કરોડ રૂપિયામાં રિટેન કરીને બધાને ચોંકાવી દીધા છે. ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કરતા ઉંચી કિંમતે ફ્રેન્ચાઈઝીએ જાડેજાને જાળવી રાખ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે જાડેજાને જાળવી રાખેલા ખેલાડીઓની યાદીમાં નંબર વન પર મૂક્યો હતો. આ સાથે જ ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.
હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. આ ખેલાડીઓ છે કેપ્ટન કેન વિલિયમસન, ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને અબ્દુલ સમદ. વિલિયમસનને રૂ. 14 કરોડમાં, મલિક અને સમદને રૂ. 4 કરોડમાં જાળવી રાખવામાં આવ્યા છે. ગત સિઝનમાં ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નર સાથેના મતભેદોને કારણે ખોટા કારણોસર સમાચારમાં રહેલી સનરાઈઝર્સે કેન વિલિયમસનને જાળવી રાખવાની તૈયારી કરી હતી. પરંતુ ચોંકાવનારો નિર્ણય એ છે કે ફ્રેન્ચાઇઝીએ રાશિદ ખાનને જાળવી રાખ્યો નથી. ટીમે મલિક અને સમદ જેવા યુવા ખેલાડીઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમદ તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે જ્યારે ઉમરાન મલિક તેની ઝડપી બોલિંગ માટે પ્રખ્યાત છે. આઈપીએલની છેલ્લી સિઝનમાં તેણે ઘણી વખત 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)