શોધખોળ કરો

BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર

IPL 2025: બીસીસીઆઈએ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે રીટેન્શન નિયમોની સત્તાવાર જાહેરાત કરી છે. આ વખતે 8 મોટા ફેરફારો સાથે મેગા ઓક્શન થશે.

IPL 2025: બીસીસીઆઈએ (BCCI) એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે રીટેન્શન નિયમોની સત્તાવાર જાહેરાત કરી છે. આ વખતે 8 મોટા ફેરફારો સાથે મેગા ઓક્શન થશે. શુક્રવારે ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ, BCCIએ રિટેન્શન નિયમો અંગે અંતિમ નિર્ણય લીધો હતો. આ નિયમ 2025 થી 2027 સુધી લાગુ રહેશે.

 

BCCI એ ઇન્ડિયન પ્રીમિયર લીગ-2025 ના રીટેન્શન નિયમો અંગે સત્તાવાર જાહેરાત કરી છે. શુક્રવારે યોજાયેલી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ BCCIએ આ ટૂર્નામેન્ટને લઈને ઘણા મોટા નિર્ણયો લીધા છે. આઈપીએલ-2025ને લઈને બીસીસીઆઈ દ્વારા શું ફેરફારો કરવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આપીએ.

અનકેપ્ડ પ્લેયરનો નિયમ પાછો લાવવામાં આવ્યો
અનકેપ્ડ પ્લેયરને જાળવી રાખવા માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. જો કોઈ ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ છ ખેલાડીઓને જાળવી રાખે છે તો તેઓ રૂ. 120 કરોડના પર્સમાંથી રૂ. 79 ​​કરોડ ચૂકવશે. તેમની પાસે હરાજી માટે 41 કરોડ રૂપિયા બચશે. આ ઉપરાંત, એક જૂનો નિયમ પાછો આવ્યો છે જે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને તેમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને 'અનકેપ્ડ' ખેલાડી તરીકે જાળવી રાખવામાં મદદ કરશે. તેણે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2019માં રમી હતી. જૂના નિયમ મુજબ જે ભારતીય ખેલાડીઓ હરાજીના પાંચ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા હતા તેઓને અનકેપ્ડ ગણવામાં આવશે. IPL 2008માં શરૂ થયો ત્યારે આ નિયમ લાગુ હતો પરંતુ 2021માં તેને હટાવી દેવામાં આવ્યો હતો. હવે તે પાછો આવ્યો છે.

1. રિટેન/રાઈટ ટુ મેચ
નવી રીટેન્શન હેઠળ, IPL ફ્રેન્ચાઇઝી તેમની વર્તમાન ટીમમાંથી કુલ 6 ખેલાડીઓને જાળવી શકે છે. જો ટીમ આ 6 ખેલાડીઓને રિટેન નહીં કરે તો તે રાઈટ ટુ મેચનો ઉપયોગ કરી શકે છે. આ સંયોજન IPL ફ્રેન્ચાઇઝીની પોતાની વિચારસરણી મુજબ છે. જોકે આ 6 ખેલાડીઓ કોઈપણ વિદેશી કે ભારતીય ક્રિકેટર હોઈ શકે છે.

2. પર્સની રકમમાં વધારો

IPL-2025ની હરાજી માટે ફ્રેન્ચાઇઝીઓ માટે હરાજીની રકમ 120 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

3. મેચ ફી
IPLના ઈતિહાસમાં પ્રથમ વખત મેચ ફી દાખલ કરવામાં આવી છે. દરેક પ્લેઇંગ મેમ્બર (ઇમ્પેક્ટ પ્લેયર સહિત)ને મેચ ફી રૂ. 7.5 લાખ મળશે. આ તેની કરારની રકમ ઉપરાંત હશે.

4. વિદેશી ખેલાડીઓ પર કડકાઈ
આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કોઈપણ વિદેશી ખેલાડીએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.આ ઉપરાંત, જો કોઈ ખેલાડી હરાજી માટે નોંધણી કરાવે છે અને પછી હરાજીમાં પસંદ થયા પછી, તે સીઝનની શરૂઆત પહેલા પોતાને અનુપલબ્ધ બનાવે છે. તેથી આવા ખેલાડીઓને ટુર્નામેન્ટ અને હરાજી બંનેમાંથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

5 વર્ષના જૂના ક્રિકેટર પણ
જો કોઈ ભારતીય ખેલાડીએ છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ન રમી હોય તો તેને કેપ્ડ ભારતીય ખેલાડીને બદલે અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવશે. આ ચેન્નાઈ સુપર કિંગ્સની વિનંતી પર કરવામાં આવ્યું છે.

6. રીટેન્શન અને RTM માટે તમારું કોમ્બીનેશન પસંદ કરવું એ IPL ફ્રેન્ચાઇઝીના વિવેક પર છે. 6 રીટેન્શન/RTMમાં મહત્તમ 5 કેપ્ડ પ્લેયર્સ (ભારતીય અને વિદેશી) અને વધુમાં વધુ 2 અનકેપ્ડ પ્લેયર્સ હોઈ શકે છે.

7. ઇમ્પેક્ટ પ્લેયર
આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયર નિયમ 2025 થી 2027 સુધી ચાલુ રહેશે.

8. IPL 2025 માટે ફ્રેન્ચાઇઝીઓ માટે ઓક્શન પર્સ રૂ. 120 કરોડ નક્કી કરવામાં આવી છે. કુલ પગારની મર્યાદામાં હવે ઓક્શન પર્સ, વધારાની કામગીરીનો પગાર અને મેચ ફીનો સમાવેશ થશે. આ અગાઉ 2024માં, કુલ પગારની મર્યાદા (ઓક્શન પર્સ + ઇન્ક્રીમેન્ટલ પર્ફોર્મન્સ પે) રૂ. 110 કરોડ હતી જે હવે રૂ. 146 કરોડ (2025), રૂ. 151 કરોડ (2026) અને રૂ. 157 કરોડ (2027) થશે.

આ પણ વાંચો...

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fire In Travel| અમદાવાદ-મુંબઈ એક્સ્પ્રેસ વે પર ભડભડ કરતી સળગી ગઈ ખાનગી ટ્રાવેલ્સDwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Financial Rules: 1 ઓક્ટોબરથી થવા જઈ રહ્યા છે 10 મોટા ફેરફાર,તહેવારોની સિઝનમાં તમારા બજેટ પર કરશે અસર
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
Nepal: નેપાળમાં આકાશમાંથી વરસી આફત, ભારે વરસાદ બાદ ભૂસ્ખલન અને પૂરને કારણે 99 લોકોના મોત
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
BCCIએ IPL 2025માં રિટેન્શનના નિયમોને આપી મંજૂરી, આ વખતે જોવા મળશે 8 મોટા ફેરફાર
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
General Knowledge: એલિયન્સ સાથે જોડાયેલી આ ત્રણ ઘટનાઓને દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે,એકમાં તો થયું હતું અપહરણ
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
Online Shopping: જો તમે પણ દિવાળી સેલમાં ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો તો સાવધાન! બની શકો છો આ કૌભાંડનો શિકાર
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
BCCIના આ એક નિર્ણયથી IPL 2025માં MS ધોનીને થશે કરોડોનું નુકસાન
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Embed widget