શોધખોળ કરો

IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020

રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે

મુંબઇઃ કોરોના કાળને લઇને ક્રિકેટ બંધ હતી, હવે ધીમે ધીમે પાટા પર આવી રહી છે. આ લિસ્ટમાં હવે આઇપીએલને પણ મોકો મળી શકે છે. આઇપીએલ ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે આ વર્ષના અંત સુધી આઇપીએલ લીગ યોજાઇ શકે છે. રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ 2020નુ આયોજન વિદેશમાં થશે, અને આ માટે કેટલાક દેશો ભારતને સપોર્ટ પણ કરી રહ્યાં છે. અંગ્રેજી ન્યૂઝ વેબસાઇટ આઉટલૂક અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરમાં આ લીગ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રમાશે. રિપોર્ટ પ્રમાણે, આ અઠવાડિયાની શરૂઆતમાં આઇપીએલના તમામ ટીમ માલિકોની મીટિંગ થઇ હતી, જેમાં આ વિદેશમાં રમાડવાની અંગે કોઇને કંઇ વાંધો નથી. કેટલીય ફ્રેન્ચાઇઝીઓને આશા છે કે સપ્ટેમ્બરના અંતમાં આ લીગનુ આયોજન થઇ શકે છે. જોકે આ માટે ટી20 વર્લ્ડકપ રદ્દ થવો ખુબ જરૂરી છે. આ જ કારણ છે કે બીસીસીઆઇ હાલ આઇપીએલ પર કોઇ સત્તાવાર નિવેદન નથી આપી રહી, કેમકે તે ટી20 વર્લ્ડકપને લઇને આઇસીસીના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે. IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020
મનાઇ રહ્યું છે કે યુએઇમાં કોરોના વાયરસના પ્રૉટોકૉલને ધ્યાનમાં રાખતા આઇપીએલનુ આયોજન ખાલી સ્ટેડિયમમાં જ થશે. રિપોર્ટ એક ટીમ ફ્રેન્ચાઇઝીના હવાલાથી કહેવાયુ છે કે આઇપીએલ ટીવી માટે બનાવવામાં આવી છે. જો સ્ટેડિયમમાં ભીડ નહીં આવે તો આનાથી કોઇ ખાસ ફરક નહીં પડે. વળી, એક અન્ય ટીમ માલિકના હવાલાથી કહેવાયુ છે કે ત્યાં અમારા વિદેશી ખેલાડીઓ રમવા માટે તૈયાર થશે. અમને તૈયારીઓ માટે માત્ર એક મહિનાની જરૂર છે. IPL રમાવવાનું લગભગ નક્કી, જાણો ક્યાં ને ક્યારે રમાશે આઇપીએલ 2020 ઉલ્લેખનીય છે કે આઉટલુકના રિપોર્ટ પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2020માં રમાનારો ટી20 વર્લ્ડકપ રદ્દ થવાનુ નક્કી છે, આ માટે સહમતી પણ બની ગઇ છે, અને બહુ જલ્દી આની જાહેરાત પણ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર
વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જશે! આ 3 ખેલાડીઓ છે પ્રબળ દાવેદાર
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs NZ: 40 દિવસમાં ભારત વિરુદ્ધ 12 મેચ રમશે ન્યૂઝીલેન્ડ, NZCએ જાહેર કર્યો કાર્યક્રમ 
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ
ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર... ભારતની યજમાની કરશે અફઘાનિસ્તાન, જાણો ક્યારે અને ક્યાં રમાશે ટી20 સીરીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget