શોધખોળ કરો

Team India: જય શાહની ચેતવણીને ઘોળીને પી ગયો ઈશાન કિશન, ચહર અને અય્યરની પણ મુશ્કેલી વધશે

Team India: ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. ઇશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચેતવણીને અવગણી છે. ઈશાન કિશને રણજી ટ્રોફીમાં ઝારખંડ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં પણ ભાગ લીધો ન હતો.

Team India: ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. ઇશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચેતવણીને અવગણી છે. ઈશાન કિશને રણજી ટ્રોફીમાં ઝારખંડ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં પણ ભાગ લીધો ન હતો. BCCIએ એવા ખેલાડીઓને રણજી ટ્રોફી રમવાની સૂચના આપી હતી જેઓ નેશનલ ડ્યૂટી પર નથી. ઈશાન કિશન ઉપરાંત દીપક ચહર અને શ્રેયસ અય્યરે પણ BCCI સેક્રેટરી જય શાહની સૂચનાઓનું પાલન કર્યું ન હતું.

વાસ્તવમાં આ આખો વિવાદ ઇશાન કિશનથી શરૂ થયો હતો. ઇશાન કિશને ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ પછી ઈશાન કિશનને અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જગ્યા આપવામાં આવી ન હતી. જ્યારે ટીમ મેનેજમેન્ટને ઈશાન કિશનની અનુપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે કિશનને પુનરાગમન કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂર છે. પરંતુ કિશને પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખ્યો અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ મેચમાં પણ તેની પસંદગી થઈ ન હતી.

બીસીસીઆઈ કાર્યવાહી કરી શકે છે

આ સમગ્ર વિવાદને જોઈને BCCIએ સ્પષ્ટ કર્યું કે હવેથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રણજી ટ્રોફીને નજરઅંદાજ નહીં કરી શકે. BCCIએ ખેલાડીઓને રણજી ટ્રોફી નહીં રમવા પર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. આમ છતાં કિશન છેલ્લી મેચ રમવા મેદાનમાં આવ્યો ન હતો. દીપક ચહરે આ સિઝનમાં એક પણ રણજી મેચ રમી નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યર મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમશે તેવી આશા હતી. પરંતુ અય્યરે પણ મેદાનથી અંતર જાળવી રાખ્યું હતું. આ તમામ ખેલાડીઓ પર સ્થાનિક ક્રિકેટને બદલે IPLને મહત્વ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ઈશાને માગ્યો હતો બ્રેક

 

સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. અહીં ઈશાન કિશનની જગ્યાએ કેએસ ભરતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખુદ ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માંગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો. બીસીસીઆઈએ જણાવ્યું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માંગ્યો હતો. તેથી, તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget