શોધખોળ કરો

Team India: જય શાહની ચેતવણીને ઘોળીને પી ગયો ઈશાન કિશન, ચહર અને અય્યરની પણ મુશ્કેલી વધશે

Team India: ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. ઇશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચેતવણીને અવગણી છે. ઈશાન કિશને રણજી ટ્રોફીમાં ઝારખંડ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં પણ ભાગ લીધો ન હતો.

Team India: ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. ઇશાન કિશને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ચેતવણીને અવગણી છે. ઈશાન કિશને રણજી ટ્રોફીમાં ઝારખંડ દ્વારા રમાયેલી છેલ્લી મેચમાં પણ ભાગ લીધો ન હતો. BCCIએ એવા ખેલાડીઓને રણજી ટ્રોફી રમવાની સૂચના આપી હતી જેઓ નેશનલ ડ્યૂટી પર નથી. ઈશાન કિશન ઉપરાંત દીપક ચહર અને શ્રેયસ અય્યરે પણ BCCI સેક્રેટરી જય શાહની સૂચનાઓનું પાલન કર્યું ન હતું.

વાસ્તવમાં આ આખો વિવાદ ઇશાન કિશનથી શરૂ થયો હતો. ઇશાન કિશને ગયા વર્ષે સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ પછી ઈશાન કિશનને અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જગ્યા આપવામાં આવી ન હતી. જ્યારે ટીમ મેનેજમેન્ટને ઈશાન કિશનની અનુપલબ્ધતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોચ રાહુલ દ્રવિડે સ્પષ્ટ કર્યું કે કિશનને પુનરાગમન કરવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની જરૂર છે. પરંતુ કિશને પોતાને રણજી ટ્રોફીથી દૂર રાખ્યો અને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની છેલ્લી ત્રણ મેચમાં પણ તેની પસંદગી થઈ ન હતી.

બીસીસીઆઈ કાર્યવાહી કરી શકે છે

આ સમગ્ર વિવાદને જોઈને BCCIએ સ્પષ્ટ કર્યું કે હવેથી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રણજી ટ્રોફીને નજરઅંદાજ નહીં કરી શકે. BCCIએ ખેલાડીઓને રણજી ટ્રોફી નહીં રમવા પર કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. આમ છતાં કિશન છેલ્લી મેચ રમવા મેદાનમાં આવ્યો ન હતો. દીપક ચહરે આ સિઝનમાં એક પણ રણજી મેચ રમી નથી. ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ શ્રેયસ અય્યર મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમશે તેવી આશા હતી. પરંતુ અય્યરે પણ મેદાનથી અંતર જાળવી રાખ્યું હતું. આ તમામ ખેલાડીઓ પર સ્થાનિક ક્રિકેટને બદલે IPLને મહત્વ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

ઈશાને માગ્યો હતો બ્રેક

 

સાઉથ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. અહીં ઈશાન કિશનની જગ્યાએ કેએસ ભરતને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ખુદ ઈશાન કિશને આ ટેસ્ટ સિરીઝમાંથી બ્રેક માંગ્યો હતો. તેથી બીસીસીઆઈએ આ ફેરફાર કરવો પડ્યો. બીસીસીઆઈએ જણાવ્યું કે વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને અંગત કારણોસર ટીમ ઈન્ડિયામાંથી બ્રેક માંગ્યો હતો. તેથી, તેને દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ

વિડિઓઝ

Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
PSI-LRD Physical Test: PSI-LRDમાં શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
₹21 કરોડ પાણીમાં! સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ભોંયભેગી, ભ્રષ્ટાચારનો કાટમાળ જોઈને ચોંકી જશો, જુઓ Video
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Malegaon: સત્તા માટે શિંદે સેના ઔવેસીના શરણે? AIMIM પાસે માંગ્યો ટેકો, મળ્યો સણસણતો જવાબ
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
Embed widget