શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓના પત્તા કપાશે? રોહિત શર્મા લેશે મોટો નિર્ણય

KL Rahul: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ પુણેમાં રમાશે. આ ટેસ્ટમાં કેએલ રાહુલ સહિત ત્રણ ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાંથી છુટ્ટી થઈ શકે છે.

IND vs NZ 2nd Test KL Rahul: ટીમ ઈન્ડિયાએ બેંગલુરુમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં 8 વિકેટે હાર થઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ ઇનિંગ્સમાં ખરાબ રીતે ફ્લોપ થઈને માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં ટીમ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનાર કેએલ રાહુલ (KL Rahul) પણ સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા. આવી સ્થિતિમાં કેએલ રાહુલની પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાંથી પત્તુ કપાઈ શકે છે.

માત્ર કેએલ રાહુલ જ નહીં, પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાંથી ટીમ ઈન્ડિયામાં સ્પિનર કુલદીપ યાદવની પણ પત્તુ કપાઈ શકે છે. ભલે કુલદીપે બેંગલુરુ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 3 વિકેટ ઝડપી, પરંતુ પિચને ધ્યાનમાં રાખીને કુલદીપની જગ્યાએ રોહિત શર્મા ત્રીજા પેસર તરીકે આકાશ દીપને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપી શકે છે. બેંગલુરુ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પણ પુણે ટેસ્ટમાંથી બહાર રહી શકે છે.

રાહુલ અને પંતનો રિપ્લેસમેન્ટ કોણ?

જો કેએલ રાહુલને પુણેમાં ન્યૂઝીલેન્ડ સામે રમાનારી બીજી ટેસ્ટમાંથી બહાર કરવામાં આવે છે, તો તેમની જગ્યાએ શુભમન ગિલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળી શકે છે. ઋષભ પંતની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને તક મળી શકે છે. જુરેલ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ત્રણ ટેસ્ટ રમી ચૂક્યો છે.

ભારત-ન્યૂઝીલેન્ડની બીજી ટેસ્ટ ક્યારે રમાશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. બેંગલુરુમાં પ્રથમ ટેસ્ટ રમાયા બાદ હવે બંને ટીમો સીરીઝની બીજી ટેસ્ટ માટે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આમને-સામને થશે. બીજી ટેસ્ટ 24થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે. પછી સીરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈમાં રમાનારી સીરીઝની અંતિમ ટેસ્ટ 01થી 05 નવેમ્બર દરમિયાન રમાશે.

નોંધનીય છે કે, બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પ્રથમ ઇનિંગ્સમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. પછી પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે 402 રન બોર્ડ પર લગાવ્યા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ તેની બીજી ઇનિંગ્સમાં 462 રન બનાવીને ન્યુઝીલેન્ડ સામે 107 રનનો લક્ષ્યાંક મૂક્યો. લક્ષ્યાંકનો પીછો કરતાં કીવી ટીમે 110/2 રન બનાવીને 8 વિકેટથી જીત પોતાના ખાતામાં નોંધાવી લીધી.

વાસ્તવમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ટીમ ઈન્ડિયા આ દરમિયાન પ્રથમ ઇનિંગ્સમાં 46 રનના સ્કોર પર સમેટાઈ ગઈ. રોહિતે ઇનિંગ્સ પછી પોતે જ કહ્યું કે તેમણે પિચને સમજવામાં ભૂલ કરી દીધી. આ જ ભારતની હારનું મહત્વનું કારણ બની ગયું. જો ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરતી તો પરિણામ કંઈક અલગ હોઈ શકતું હતું. જોકે ભારતે બીજી ઇનિંગ્સમાં કમબેક કર્યું અને 462 રન બનાવ્યા. પરંતુ આનાથી જીત ન મળી શકી.

આ પણ વાંચોઃ

ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયામાં ફેરફાર! આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget