શોધખોળ કરો

Shubman Gill: કોહલી નહી શુભમન ગિલે યો યો ટેસ્ટમાં કર્યું ટોપ, સ્કોર જાણી દંગ રહી જશો 

વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગ ઉપરાંત પોતાની શાનદાર ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે.

Shubman Gill Yo-Yo Test Score: વિરાટ કોહલી પોતાની શાનદાર બેટિંગ ઉપરાંત પોતાની શાનદાર ફિટનેસ માટે પણ પ્રખ્યાત છે. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના સૌથી ફિટ ખેલાડીઓમાંથી એક છે. પરંતુ શું તમે જાણો છો કે તાજેતરના સમયમાં શુભમન ગિલે યો-યો ટેસ્ટમાં વિરાટ કોહલી કરતા વધુ સ્કોર કર્યો છે.  ભારતીય ટીમના ઓપનર શુભમન ગીલે યો-યો ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કર્યો છે. શુભમન ગિલ 18.7 પોઈન્ટ સાથે સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. શુભમન ગિલથી વધુ કોઈએ સ્કોર કર્યો નથી.

શુભમન ગિલે યો-યો ટેસ્ટમાં વિરાટ કોહલીને પછાડ્યો

એવું માનવામાં આવે છે કે જે ખેલાડીઓ સૌથી વધુ ફિટ છે તેઓ યો-યો ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરે છે. યો-યો ટેસ્ટ એ ખેલાડીઓની ફિટનેસ માપવા માટેનો સ્કેલ છે. પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઘણીવાર યો-યો ટેસ્ટમાં સૌથી વધુ  સ્કોર બનાવ્યો હતો  પરંતુ આ વખતે શુભમન ગિલે વિરાટ કોહલીને મ્હાત આપી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શુભમન ગિલ ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન મેદાન પર જોવા મળ્યો હતો. આ પછી ભારતીય ટીમ જસપ્રીત બુમરાહની કપ્તાનીમાં આયર્લેન્ડ ગઈ હતી. શુભમન ગિલ આ ટીમનો ભાગ નહોતો.

શુભમન ગિલ એશિયા કપમાં મેદાન પર જોવા મળશે

હવે શુભમન ગિલ આગામી એશિયા કપમાં જોવા મળશે. એશિયા કપ 2023ની શરુઆત 30 ઓગસ્ટથી  થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે.  આ ટૂર્નામેન્ટની મેચો પાકિસ્તાન સિવાય શ્રીલંકામાં રમાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ એશિયા કપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મેચ રમાશે. ભારતીય ટીમની તમામ મેચો શ્રીલંકામાં રમાશે. આ સિવાય શ્રીલંકામાં સેમી ફાઈનલ અને ફાઈનલ પણ રમાશે.   

એશિયા કપ પહેલા જ BCCIએ કોહલીને આપી વોર્નિંગ

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં આગામી એશિયા કપની તૈયારીઓ માટે બેંગલુરુમાં 6 દિવસીય પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં તમામ મુખ્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ કન્ડીશનીંગ કેમ્પના પહેલા દિવસે 24 ઓગસ્ટે તમામ ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કર્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો સ્કોર પણ પોસ્ટ કર્યો હતો. હવે બીસીસીઆઈના અધિકારીઓએ આ માહિતીને લઈને નારાજગી વ્યક્ત કરી છે. 

કિંગ કોહલીએ યો-યો ટેસ્ટ પાસ કરી અને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી એક સ્ટોરી શેર કરી, જેમાં તે શર્ટલેસ અને જમીન પર બેઠો દેખાયો. આ તસવીર દ્વારા તેણે યો-યો ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કોહલીએ લખ્યું, "ખતરનાક શંકુની વચ્ચે યો-યો ટેસ્ટ પુરો કરીને ખુશ છું." આગળ, તેણે યો-યો સ્કોર 17.2 લખ્યો અને ડન લખ્યું. વિરાટ કોહલીએ યો-યો ટેસ્ટ પછી તરત જ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને તેમાં તેણે જણાવ્યું કે તેનો સ્કોર 17.2 હતો. આ પછી, સોશિયલ મીડિયા પર કોહલીની ફિટનેસ માટે ચાહકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. તો બીજી તરફ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને સોશિયલ મીડિયાના અન્ય હેન્ડલ્સ પર શેર કરવામાં આવેલ યો-યો ટેસ્ટના સ્કોરથી બીસીસીઆઈના ટોચના અધિકારીઓ નારાજ થયા છે. કોહલીની આ પોસ્ટ બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ભારતીય ટીમના તમામ ખેલાડીઓને સલાહ આપી છે કે તેઓ તેમના યો-યો ટેસ્ટના સ્કોરને લઈને કોઈ પણ માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરે. રિપોર્ટ અનુસાર, આ સૂચના એશિયા કપ કેમ્પમાં હાજર તમામ ખેલાડીઓને આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
અફઘાનિસ્તાન સામે ટેસ્ટ અગાઉ ભારતીય ખેલાડીએ લીધી નિવૃતિ, અચાનક નિર્ણય લઈ ફેન્સને ચોંકાવ્યા
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણીમાંથી બહાર, જાણો કારણ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget